નાથદ્વારાઃ રાજસ્થાનના નાથદ્વારામાં કૃષ્ણોત્સવની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. 21 તોપની સલામી આપી ભગવાન શ્રીકૃષ્ણના જ્ન્મોત્સવી ઉજવણી કરવામાં આવી હતી. વ્હાલાના વધામણા કરવા માટે જવાનો દ્વારા 21 તોપ ફોડવામાં આવ્યા હતાં. દેશભરમાં વિવિધ સ્થળ પર કૃષ્ણજન્મોત્સવની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે રાજસ્થાનના નાથદ્વારા વિશેષ રીતે ઉજવણી કરવામાં આવી હતી. મહત્વનું છે કે, દર વર્ષે જનમાષ્ટમીના પાવનપર્વ નિમિતે નાથદ્વારામાં 21 તોપની સલામી આપવામાં આવે છે.