નવી દિલ્હી: 6 રાજ્યોની 26 રાજ્યસભા બેઠકો માટે આજ સવારના 9 વાગ્યાથી મતદાન જારી છે. યુપીની 10 બેઠકો માટે અત્યંત રોમાંચકતા જોવા મળી રહી છે. અહીં બીએસપીના ધારાસભ્ય અનિલ સિંહે ભાજપ માટે મતદાન કર્યુ હોવાના અહેવાલ છે. તેમણે કહ્યું કે મેં ભાજપને મત આપ્યો છે. તેમણે વધુમાં કહ્યું કે હું યોગીજીને મત આપી રહ્યો છું. મારા અંતરાત્માના અવાજ પર મેં મત આપ્યો. આ અગાઉ એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી કે તેઓ ભાજપને મત આપશે. મતદાનની પ્રક્રિયા સાંજે 4 વાગ્યા સુધી ચાલશે. સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય નીતિન અગ્રવાલે પણ ક્રોસ વોટિંગ કરીને ભાજપને મત આપ્યો છે.


 રાજ્યસભા ચૂંટણી: યુપીની 10મી બેઠક માટે મુકાબલો અત્યંત રોમાંચક, અપક્ષો બનશે નિર્ણાયક!


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સંખ્યાના આધારે ભાજપના 8 ઉમેદવારનું રાજ્યસભામાં જવું નક્કી
જો યુપીની વાત કરીએ તો વિધાનસભામાં ભાજપના ધારાસભ્યોની સંખ્યા જોતા ભાજપના 8 ઉમેદવારોનું રાજ્યસભામાં જવું નક્કી છે. જ્યારે એક સીટ સપાને મળશે. વધેલી એક સીટ પોતાના પક્ષમાં કરવા માટે સપા અને બસપાનો ભાજપ સામે મુકાબલો છે. ભાજપે 10 બેઠકો માટે 11 ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે.


સપાએ જયા બચ્ચન અને બસપાએ ભીમરાવ આંબેડકરને ઉમેદવાર બનાવ્યાં છે
સપાએ પોતાના હાલના સાંસદ જયા બચ્ચન અને બસપાએ ભીમરાવ આંબેડકરને ઉમેદવાર બનાવ્યાં છે. બસપા ઉમેદવારને 47 ધારાસભ્યોવાળી સપાના વધારાના 10 ધારાસભ્યોનું સમર્થન આપવાની પાર્ટી નેતૃત્વએ જાહેરાત કરેલી છે પરંતુ ક્રોસ વોટિંગની આશંકાના કારમએ બસપા પ્રમુખ માયાવતીએ સપા નેતૃત્વ પાસે બસપા ઉમેદવારને મત આપનારા દસ ધારાસભ્યોની સૂચિ માંગી છે.


ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના 'ગબ્બર સિંહ ટેક્સ' પાછળ કેમ્બ્રિજ એનાલિટિકાનો હાથ-ભાજપ


સપા-બસપા ઉમેદવારને કોંગ્રેસ-આરએલડીનું સમર્થન
સપા ઉપરાંત બસપા ઉમેદવારને કોંગ્રેસ અને રાષ્ટ્રીય લોકતાંત્રિક દળના ધારાસભ્યોનું પણ સમર્થન છે. ભાજપના ઉમેદવારોમાં અરુણ જેટલી, અશોક વાજપેયી, વિજય પાલ સિંહ તોમર, સકલદીપ રાજભર, કાંતા કર્દમ, અનિલ જૈન, હરનાથ સિંહ યાદવ, જીવીએલ નરસિંમ્હારાવ, અનિલકુમાર અગ્રવાલ સામેલ છે. નિર્વિરોધ વિજયી જાહેર થયેલા ઉમેદવારોમાં કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ અને પ્રકાશ જાવડેકર સહિત સાત મંત્રી સામેલ છે.