લખનઉ : માયાવતી બાદ સમાજવાદી પાર્ટીએ પણ કેન્દ્ર સરકાર દ્વારા સવર્ણો માટે 10 ટકા અનામતનું સમર્થન કર્યું છે. સમાજવાદી પાર્ટીનાં નેતા રામ ગોપાલ યાદવે કહ્યું કે કેન્દ્ર સરકાર લક્ષ્મણ રેખા ઓળંગીને અનામત લાવી રહી છે, તો અમે સરકારનું સમર્થન કરીએ છીએ. તેમણે અનામતની સમર્થન કરવા માટેની માંગ કરી છે કે ઓબીસીને તેમની વસ્તી અનુસાર 54 ટકા અનામત હોવું જોઇએ.
 
બીજી તરફ બહુજન સમાજવાદી પાર્ટીનાં નેતા માયાવતીએ પણ કેન્દ્ર સરકાર દ્વારા સવર્ણો માટે 10 ટકા અનામતનું પ્રાવધાન કરવામાં આવે તે બાબતની સરાહના કરી હતી. માયાવતીએ કહ્યું કે, બહુમજ સમાજ પાર્ટી ગરીબોને 10 ટકા અનામત આપનારા બિલનું સમર્થન કરશે. તેમણે કહ્યું કે, તેઓ અને તેમની પાર્ટી સંવિધાન સંશોધન પ્રસ્તાવનું સમર્થન કરશે.  બહુજન સમાજ પાર્ટીની સુપ્રીમો માયાવતીએ કહ્યું કે, ચૂંટણી પહેલા ભાજપ પોતાનો કાર્યકાળ ખતમ થતા પહેલા યોગ્ય નહી થાય, પરંતુ તે પહેલા જ લઇ આવી હોત. 

કેન્દ્રીય કેબિનેટે આર્થિક રીતે પછાત સવર્ણોને સરકારી નોકરીઓને શૈક્ષણીક સંસ્થાઓમાં 10 ટકા અનામત આપવાને સોમવારે મંજુરી આપી દીધી હતી. લોકસભા ચૂંટણી પહેલા તેને સરકારમાં માસ્ટર સ્ટ્રોક પણ માનવામાં આવી રહ્યો છે. આ વિધેયકને આજે મંગળવારે જ સંસદમાં રજુ કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, તેમની આઠ લાખ વાર્ષિક કમાણી 5 હેક્ટરથી ઓછામાં ખેતીની જમીન છે તેમને અનામત આપવામાં આવશે. 1000 વર્, ફુટથી ઓછાનું મકાન છે.