રામપુર: ઉત્તર પ્રદેશના રામપુરના સાંસદ અને સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાનની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ લેતી નથી. પ્રશાસને આઝમ ખાનને ભૂમાફિયા જાહેરા કર્યા છે. જૌહર યુનિવર્સિટી માટે ખેડૂતોની જમીન કબ્જે કરવાના આરોપમાં પ્રશાસને આ કાર્યવાહી કરી છે. ઉપ જિલ્લા અધિકારી તરફથી તેમનું નામ એન્ટી ભૂ માફિયા પોર્ટલ પર નોંધણી થઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જમીન પચાવવાના 13 કેસ નોંધાયેલા છે
સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ, રામપુરથી સાંસદ અને મોહમ્મદ અલી જૌહર યુનિવર્સિટીના કુલાધિપતિ આઝમ ખાન વિરુદ્ધ છેલ્લા એક સપ્તાહ દરમિયાન જમીન પચાવી પાડવાના 13 કેસ નોંધાયા છે. એન્ટી ભૂ માફિયા પોર્ટલ પર તે જ લોકોના નામ નોંધાય છે જે લોકો જમીનો પર કબ્જો કરે છે અને તેને છોડતા નથી. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...