ઋષિ સુનક યૂનાઈટેડ કિંગડમના પ્રધાનમંત્રી તરીકે પસંદગી પામ્યા છે. ત્યારબાદ પીડીપી અધ્યક્ષ મહેબૂબા મુફ્તીએ કટાક્ષ કર્યો છે કે યુનાઈટેડ કિંગડમમાં અલ્પસંખ્યક ઋષિ સુનકને પ્રધાનમંત્રી બનાવવામાં આવ્યા પરંતુ અમે ભારતમાં સીએએ-એનઆરસીથી બંધાયેલા છે. આ બધા વચ્ચે ભાજપના સાંસદ રવિશંકર પ્રસાદે મહેબૂબા મુફ્તી પર પલટવાર કરતા પૂછ્યું કે તેઓ જમ્મુ અને કાશ્મીરમાં અલ્પસંખ્યક મુખ્યમંત્રી સ્વીકાર કરશે?


કાશ્મીરમાં અલ્પસંખ્યક સીએમ સ્વીકારશે મહેબૂબા?
પૂર્વ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે ટ્વીટ કરીને કહ્યું કે ઋષિ સુનકના યુકેના પીએમ તરીકે પસંદગી પામ્યા બાદ ભારતમાં અલ્પસંખ્યકોના અધિકારો પર મહેબૂબા મુફ્તીની ટ્વીટ જોઈ. મહેબૂબા મુફ્તી શું તમે જમ્મુ કાશ્મીરમાં કોઈ અલ્પસંખ્યકને રાજ્યના મુખ્યમંત્રી તરીકે સ્વીકાર કરશો?


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube