સિક્કિમઃ સિક્કિમમાં આવેલા ખતરનાક હિમસ્ખલનમાં છ પર્યટકોના મોત થઈ ગયા છે. જ્યારે 11 જેટલા પર્યટકો ઈજાગ્રસ્ત થવા હોવાનું સામે આવ્યું છે. આ હિમસ્ખલન ગંગટોક અને નાથુ લા દર્રોને જોડનાર જવાહર લાલ નેહરૂ રોડ પર મંગળવારે બપોરે 12.20 કલાકે થયો છે. જાણવા મળી રહ્યું છે કે હજુ મોટી સંખ્યામાં પર્યટકો ત્યાં ફસાયેલા છે. આ ફસાયેલા પર્યટકોની સંખ્યા 80 હોવાનું સામે આવ્યું છે. આ લોકોને બહાર કાઢવા માટે રેસ્ક્યૂ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube