નવી દિલ્હી: નીતા અંબાણી (Nita Ambani) ની બનારસ હિન્દુ યુનિવર્સિટી (BHU) માં વિઝિટિંગ લેક્ચરરવાળી ખબર ફેક નીકળી. આ અંગે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના પ્રવક્તાએ ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે નીતા અંબાણીને આવું કોઈ આમંત્રણ મળ્યું નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અત્રે જણાવવાનું કે આ અગાઉ મીડિયામાં એવી ખબર આવી હતી કે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણીના પત્ની નીતા અંબાણી બીએચયુમાં ભણાવશે. આ અંગે સામાજિક વિજ્ઞાન શાખાના ડીન પ્રોફેસર કૌશલ કિશોર મિશ્રાએ નીતા અંબાણીના ભણાવવા અંગે પુષ્ટિ કરી હતી. મળતી માહિતી મુજબ બીએચયુના સમાજિક વિજ્ઞાન શાખા તરફથી 12 માર્ચના રોજ આ પ્રસ્તાવ મોકલવામાં આવ્યો હતો. નીતાને બીએચયુ સાથે જોડવા પાછળ બનારસ સહિત પૂર્વાંચલમાં મહિલાઓના જીવનસ્તરને સુધારવાનું કારણ જણાવવામાં આવ્યું હતું. જો કે એવા પણ ખબર છે કે નીતા અંબાણીને વિઝિટિંગ લેક્ચરર બનાવવા મુદ્દે બીએચયુ વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો હતો. 


BJP સાંસદનું દિલ્હીમાં શંકાસ્પદ સ્થિતિમાં મૃત્યુ, ભાજપની સંસદીય દળની બેઠક રદ


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube