નવી દિલ્હીઃ ઉત્તરપ્રદેશ-ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી રહી ચૂકેલા દિવંગત એન.ડી. તિવારીના પુત્ર રોહિત શેખર તિવારીનું મંગળવારે નિધન થઈ ગયું. રોહિતને તેના ઘરે હૃદયરોગનો હુમલો આવ્યો હતો, ત્યાર પછી તેને દિલ્હીની મેક્સ હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉલ્લેખનીય છે કે, રોહિત તિવારીની લાંબી કાનુની લડત બાદ કોર્ટે એન.ડી. તિવારીને તેના પિતા જાહેર કર્યા હતા. એન.ડી તિવારીના પુત્ર રોહિત શેખરના ગયા વર્ષે એપ્રિલમાં મધ્યપ્રદેશના ઈન્દોરમાં રહેતી અપૂર્વ શુક્લા સાથે સગાઈ થઈ હતી અને પછી મે, 2018માં તેણે અપૂર્વા સાથે લગ્ન કર્યા હતા. અપૂર્વ સુપ્રીમ કોર્ટમાં વકીલ છે. 


10 ટકા આર્થિક અનામતઃ શૈક્ષણિક સંસ્થાઓમાં વધારવામાં આવશે 2 લાખ સીટ 


આપને યાદ કરાવી દઈએ કે પૂર્વ મુખ્યમંત્રી એન.ડી. તિવારીનું પણ ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં નિધન થઈ ગયું હતું. રોહિત એન.ડી તિવારી અને ઉજ્જવલા શર્માનો જૈવિક પુત્ર હતો. એન.ડી. તિવારીએ ઉજ્જવલા શર્મા સાથે 2014માં લગ્ન કર્યા હતા. 


ભારતના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક...