નવી દિલ્હી: દેશમાં કોરોના (Coronavirus) સંક્રમિતોની સંખ્યા ઝડપથી વધી રહી છે. દેશમાં વધતા જતા કોરોનાના કેસ વચ્ચે હવે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના પ્રમુખ મોહન ભાગવત (Mohan Bhagwat) પણ કોરોના વાયરસની ચપેટમાં આવી ગયા છે. મોહન ભાગવતને પણ કોરોના થઇ ગયો છે. મોહન ભાગવત કોરોનાથી સંક્રમિત થતાં તેમને સારવાર માટે નાગપુર (Nagpur) ની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 


રાષ્ટ્રીય સ્વંસેવક સંઘ (Rashtriya Swayamsevak Sangh) ના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી ટ્વીટ કરીને આ જાણકારી આપવામાં આવી છે. આરએસએસએ (RSS) ટ્વીટ કરીને જણાવ્યું હતું કે ડોક્ટર મોહન ભાગવતનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. ડોક્ટર ભાગવતના કોરોના ટેસ્ટનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ડોક્ટર મોહન ભાગવત (Mohan Bhagwat) ના કોરોના ટેસ્ટનો રિપોર્ટ શુક્રવારે પોઝિટિવ આવ્યો હતો. કોરોના પોઝિટિવ આવ્યા બાદ ડોક્ટર ભાગવતને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube