મથુરા: છત્તીસગઢના એક આરટીઆઈ કાર્યકર્તાએ મથુરાના જિલ્લા પ્રશાસન પાસે ભગવાન કૃષ્ણના જન્મ, તેમના ગામ અને તેમના દ્વારા વ્રજમાં કરવામાં આવતી લીલાઓ સંબંધે અનેક જાણકારીઓ માંગી છે. જેને લઈને હવે પ્રશાસન અસમંજસમાં પડી ગયું છે. જિલ્લાના મુખ્ય સૂચના અધિકારી તથા અપર જિલ્લાધિકારી (એડીએમ) (કાયદો અને વ્યવસ્થા) રમેશ ચંદ્રનું કહેવું છે કે જનમાન્યતા અને લોકોની અંગત આસ્થા સંબંધિત સવાલોના શું જવાબ આપવા તેને લઈને હાલ અસમંજસની સ્થિતિ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આરટીઆઈ કાર્યકર્તાએ કેમ માંગ્યુ પ્રમાણપત્ર
છત્તીસગઢના બિલાસપુર જનપદના ગુમા ગામ નિવાસી આરટીઆઈ કાર્યકર્તા જૈનેન્દ્રકુમાર ગેંદલે જનસૂચના અધિકાર અધિનિયમ 2005 હટલ 10 રૂપિયાનો પોસ્ટલ ઓર્ડર મોકલીને જિલ્લા પ્રશાસનને પૂછ્યું છે કે 'સપ્ટેમ્બર 3ના રોજ દેશભરમાં કૃષ્ણ જન્માષ્ટમીના અવસરે રજા જાહેર કરીને ભગવાન કૃષ્ણનો જન્મદિવસ ઉજવવામાં આવ્યો હતો. આથી મહેરબાની કરીને ભગવાન શ્રીકૃષ્ણના જન્મ પ્રમાણપત્રની પ્રમાણિત પ્રતિલિપી ઉપલબ્ધ કરાવો. જેનાથી તે સાબિત થઈ શકે કે તેમનો જન્મ તે જ દિવસે થયો હતો.'



શું કાન્હા ખરેખર ભગવાન હતાં?
આરટીઆઈમાં એ પણ પૂછવામાં આવ્યું છે કે શું ખરેખર તેઓ ભગવાન હતાં તે જણાવો. અને હતા તો કેવી રીતે? તેમના ભગવાન હોવાની પ્રમાણિકતા પણ ઉપલબ્ધ કરાવો. ગેંદલે એ પણ પૂછ્યું છે કે ભગવાન કૃષ્ણનું ગામ કયું હતું? તેમણે ક્યાં ક્યાં લીલાઓ કરી હતી વગેરે.. વગેરે...


જવાબોને લઈને અસમંજસની સ્થિતિ
ગેંદલેના આવા અજીબોગરીબ સવાલોથી પ્રશાસન અસમંજસમાં છે. એડીએમ રમેશચંદ્રનું કહેવું છે કે જનમાન્યતા અને અંગત આસ્થા સંબંધિત આ સવાલોનો શું જવાબ આપવામાં આવે. 


તેમણે કહ્યું કે હિન્દુ ધર્મ સંબંધિત તમામ ગ્રંથો, પુસ્તકોમાં આ પ્રકારે વર્ણન છે કે ભગવાન કૃષ્ણનો જન્મ દ્વાપર યુગમાં તત્કાલિન શૌરસેન (જેને વર્તમાનમાં મથુરાના નામે ઓળખવામાં આવે છે) જનપદમાં થયો હતો. તેમણે કહ્યું કે રાજા કંસનો વધ કર્યા બાદ દ્વારિકા ગમન પૂર્વે પગ પગ પર અનેક લીલાઓ કરી હતી. આથી ધાર્મિક આસ્થા સંબંધિત આવા સવાલોનો શું જવાબ આપવાનમાં આવે, તેના પર વિચાર કરવામાં આવી રહ્યો છે.