નવી દિલ્હીઃ યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે કેન્દ્ર સરકાર ઓપરેશન ગંગા ચલાવી રહી છે. તે હેઠળ મંગળવારે રોમાનિયાથી 2018 ભારતીયોને લઈને એક વિમાન દિલ્હી પહોંચ્યું છે. આ સિવાય હંગરીની રાજધાની બુડાપેસ્ટથી પણ એક વિમાન દિલ્હી પહોંચ્યું છે. તેમાં 2016 ભારતીયોને પરત લાવવામાં આવ્યા છે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ દિલ્હી એરપોર્ટ પર ભારતીયોનું સ્વાગત કર્યુ. તેમણે વિશ્વાસ અપાવ્યો કે સરકાર યુક્રેનમાં ફસાયેલા દરેક ભારતીયને પરત લાવવાનો પ્રયાસ કરી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહત્વનું છે કે યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે સરકાર ઓપરેશન ગંગા ચલાવી રહી છે. તેની શરૂઆત 26 ફેબ્રુઆરીએ થઈ હતી. આ મુહિમમાં અત્યાર સુધી 2 હજારથી વધુ ભારતીયોને પરત લાવવામાં આવી ચુક્યા છે. આ પહેલાં બુડાપેસ્ટથી 240 ભારતીયોને લઈને એક વિમાન દિલ્હી પહોંચ્યું હતું. 


ભારત સુધી પહોંચી જંગની અસર, ગોળી વાગવાથી ખારકીવમાં ભારતીય વિદ્યાર્થીનું મોત


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube