નવી દિલ્હીઃ Ukraine War: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે જર્મન ચાન્સેલર ઓલાફ શોલ્ઝ  સાથેની વાતચીત બાદ કહ્યું હતું કે જ્યારથી યુક્રેનમાં ઘટનાઓ શરૂ થઈ ત્યારથી ભારતે આ વિવાદને વાતચીત અને કૂટનીતિ દ્વારા ઉકેલવાનો આગ્રહ રાખ્યો હતો અને આજે પણ અમે કોઈપણ પ્રકારની શાંતિ પ્રક્રિયામાં યોગદાન આપવા તૈયાર છીએ. પીએમ નરેન્દ્ર મોદીએ ટ્વિટ કર્યું કે ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ સાથે તેમની ફળદાયી વાતચીત થઈ. અમારી વાટાઘાટો ભારત-જર્મન સહયોગને મજબૂત કરવા અને વ્યાપારી સંબંધોને વધુ મજબૂત કરવા પર કેન્દ્રિત છે. અમે પુનઃપ્રાપ્ય ઉર્જા, ગ્રીન હાઇડ્રોજન, બાયો-ઇંધણના ક્ષેત્રોમાં સંબંધો ગાઢ કરવા સંમત થયા છીએ. સુરક્ષા સહયોગ પર પણ સંપૂર્ણ ચર્ચા થઈ છે.


પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચાન્સેલર ઓલાફ શોલ્ઝની વાર્તામાં રશિયા યુક્રેનના સંઘર્ષનું 1 વર્ષ પૂર્ણ થવાને કારણે ખાદ્ય અને ઉર્જા સુરક્ષા જેવા પ્રભાવો સાથે જોડાયેલા મુદ્દે ચર્ચા કરવામાં આવી. બંને નેતાઓએ સ્વચ્છ ઉર્જા, કારોબાર, રક્ષા રોકાણ અને નવી ટેક્નોલોજી, જળવાયુ પરિવર્ન સહિત વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવાના માર્ગ પર ચર્ચા કરી છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube