નવી દિલ્હી: પાકિસ્તાનની જેલમાં બંધ કુલભૂષણ જાધવની ફાંસીની સજા પર બુધવારે ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસે રોક લગાવી દીધી છે. જેના પર વિદેશમંત્રી એસ જયશંકરે ગુરુવારે રાજ્યસભામાં કહ્યું કે ન્યાય પર ભરોસો કરનારા લોકો માટે આઈસીજેનો ચુકાદો દ્રષ્ટાંતરૂપ છે. તેમણે કહ્યું કે પાકિસ્તાને કુલભૂષણ જાધવને ખોટા કેસમાં ફસાવ્યાં છે. સરકાર  કુલભૂષણ જાધવના પરિવાર સાથે છે. પાકિસ્તાને વિયેના સંધિનો ભંગ કર્યો છે. કેન્દ્ર સરકાર કુલભૂષણના અધિકારોની રક્ષા કરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કુલભૂષણ કેસ: ICJમાં ઊંઘા માથે પટકાયા છતાં પણ પાકિસ્તાન ન સુધર્યું, આપ્યું આ નિવેદન


વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે અમે  ફરીએકવાર કહેવા માંગીએ છીએ કે પાકિસ્તાન કુલભૂષણ જાધવને છોડી મૂકે. તેમણે કહ્યું કે આઈસીજેની 15-1ની વોટિંગે ભારતના એ દાવાને સાચો ઠેરવ્યો છે જેમાં ભારતે પાકિસ્તાન દ્વારા અનેકવાર વિયેના સંધિનો ભંગ કર્યો હોવાની વાત કરી છે. 


કુલભૂષણ જાધવ કેસ: ICJમાં ભારતની મોટી જીત અને પાકની ફજેતી? આ પાંચ પોઈન્ટથી સમજો


વિદેશ મંત્રીએ કપરી સ્થિતિઓમાં જાધવના પરિવારના સાહસના પણ વખાણ કર્યાં અને સમગ્ર સદન તથા રાષ્ટ્ર તરફથી એકજૂથતાનું આશ્વાસન આપ્યું. તેમણે કહ્યું કે તેઓએ કપરી પરિસ્થિતિઓમાં સાહસની મિસાલ રજુ કરી છે. સરકાર જાધવની સુરક્ષા માટે કપરા પ્રયત્નો કરતી રહેશે. 


જુઓ LIVE


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...