નવી દિલ્હીઃ જ્યોતિરાદિત્ય સિંધિયા કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાઇ ગયા છે. જ્યોતિરાદિત્ય સિંધિયાના ભાજપ જોડાવાને રાજસ્થાનના નાયબ મુખ્યપ્રધાન સચિન પાયલોટે દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું છે, તેમણે કહ્યું કે, વિવાદોનો ઉકેલી શકાતા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સચિન પાયલોટે ટ્વીટ કરીને કહ્યું કે, જે જોવું દુર્ભાગ્યપૂર્ણ છે કે જ્યોતિરાદિત્યએ કોંગ્રેસ પાર્ટી છોડી દીધી છે. હું વિચારુ છું કે પાર્ટીમાં વાતચીતના માધ્યમથી વિવાદને ઉકેલી શકાયા હોત. સચિન પાયલોટ પહેલા રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગેહલોતે પણ જ્યોતિરાદિત્ય સિંધિયા પર આકરી ટિપ્પણી કરી હતી. 


અશોક ગેહલોતે જ્યોતિરાદિત્ય સિંધિયાનું નામ લીધા વગર કહ્યું કે, અવસરવાદી લોકો પહેલા જ ચાલ્યા ગયા હોત તો યોગ્ય હોત. તેમને કોંગ્રેસે ઘણું આપ્યું 17-18 વર્ષોમાં. અલગ અલગ પદો પર રાખ્યા. સાસંદ બનાવ્યા, કેન્દ્રીય મંત્રી બનાવ્યા અને તક આવવા પર ભાગી ગયા. જનતા તેને માફ નહીં કરે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...