મુંબઈઃ નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB) મુંબઈના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેની બહેન યાસ્મીન વાનખેડેએ મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિક વિરુદ્ધ કેસ દાખલ કરવા માટે પોલીસમાં પોતાની ફરિયાદ નોંધાવી છે. આ સાથે યાસ્મીને રાષ્ટ્રીય મહિલા પંચને પણ પત્ર લખીને એક મહિલાના રૂપમાં પોતાના બંધારણીય અધિકારોની રક્ષા કરવાની વિનંતી કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પહેલા યાસ્મીને નવાબ મલિક તરફથી સમીર વાનખેડેના નામને લઈને લગાવવામાં આરોપો પર પલટવાર કર્યો હતો. સમીર વાનખેડેની બહેને કહ્યું- એક અધિકારીના જન્મ પ્રમાણ પત્રની શોધ કરનાર તે (નવાબ મલિક) કોણ હોય છે? તેની રિસર્ચ ટીમે દુબઈથી બોમ્બે સુધી આ તસવીરને પોસ્ટ કરી છે. અમને મોતની ધમકી ભર્યા કોલ આવી રહ્યાં છે. મને લાગે છે કે મારે પણ દરરોજ ખોટા પૂરાવા રજૂ કરવા જોઈએ. મલિકે એક બર્થ સર્ટિફિકેટ ટ્વીટ કરતા સમીર વાનખેડેનું નામ 'સમીર દાઉદ વાનખેડે' જણાવ્યું હતું. 


Drugs Case: Sameer Wankhede ની 4 કલાક સુધી પૂછપરછ, કેપી ગોસાવી મુદ્દે NCB એ આપ્યું નિવેદન


હકીકતમાં મલિકે આરોપ લગાવ્યો હતો કે વાનખેડેનો જન્મ એક મુસ્લિમના રૂપમાં થયો હતો, પરંતુ નકલી જાતિ પ્રમાણ પત્ર સહિત અન્ય દસ્તાવેજોની મદદથી અનામત હેઠળ નોકરી મેળવવા માટે સમીરે ખુદને દલિત હિન્દુ ગણાવ્યા અને યૂપીએસસીની પરીક્ષા પાસ કરી હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube