નવી દિલ્હી: પૂર્વોત્તરના રાજ્યોમાં નાગરિકતા(સંશોધન) બિલ પર ઘર્ષણ સતત ચાલુ જ છે. આ દરમિયાન લોકસભા ચૂંટણી 2019 માટે મેઘાલયની શિલોંગ બેઠકના ભાજપના ઉમેદવાર સનબોર શુલઈએ આ અંગે આકરી પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે જો આ બિલ લાગુ થયું તો તેઓ આત્મહત્યા કરી લેશે. અત્રે જણાવવાનું કે ભાજપે પોતાના ચૂંટણી ઢંઢેરામાં દાવો કર્યો છે કે વર્ષ 2019માં તેઓ જો ફરી સત્તા પર આવશે તો આ બિલને લાગુ કરી દેવાશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દેશના આ જગપ્રસિદ્ધ મંદિરમાં 'ગાંધી પરિવાર'ના પ્રવેશ પર છે પ્રતિબંધ, જાણો તેની પાછળની કહાની


મેઘાલય વિધાનસભાના પૂર્વ ઉપાધ્યક્ષ અનબોર શુલઈ ગુરુવારે અત્રે મતદાન કરવા આવ્યાં હતાં. ત્યારબાદ નાગરિકતા (સંશોધન) બિલ અંગે તેમને સવાલ પૂછાયો તો જવાબમાં તેમણે કહ્યું કે, 'જ્યાં સુધી સનબોર જીવિત છે ત્યાં સુધી આ બિલ લાગુ થઈ શકશે નહીં.' તેમણે કહ્યું કે, 'જો આ લાગુ થયું તો હું આત્મહત્યા કરી લઈશ. તેમણે કહ્યું કે હું પીએમ મોદીની સામે આત્મહત્યા કરી લઈશ પરંતુ આ બિલને લાગુ થવા નહીં દઉ.'


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...