મુંબઇ: મહારાષ્ટ્રમાં ભાજપ (BJP) અને શિવસેના (Shivsena)વચ્ચે શાબ્દીક જંગ ઘણા મહીનાઓથી ચાલી રહી છે. શિવસેના કેન્દ્ર સરકાર અને ભાજપને ઘેરવાની તક ચૂકતી નથી એવામાં ગુરૂપૂર્ણિમા, ગણેશ ઉત્સવથી માંડીને આજે દીવાળીના તહેવાર પણ બાકી રહ્યા નથી. તેની કડીમાં આજે શિવસેના નેતા સંજય રાઉત (Sanjay Raut) એ  BJP ને ઘેરતાં એક તીર દો નિશાન સાધ્યા અને ઇશારાઓમાં કટાક્ષ કરતાં એક પડકાર ફેંક્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દીવાળી પર કોંગ્રેસનો બચાવ અને ભાજપને પડકાર
શિવસેના અને ભાજપના નેતાઓ વચ્ચે ચાલી રહેલા તીખા પ્રહારો વચ્ચે સંજય રાઉતે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi)આજે જવાનો સાથે જેસલમેરમાં દીવાળી ઉજવી એ વાત પર તેમને ખુશી છે પરંતુ એ વાતનું દુખ પણ છે કે આપણા જવાનો સીમા પર શહીદ થયા. 


સંજયના નિશાન પર આવ્યા બરાક ઓબામા
શિવસેના પ્રવક્તા સંજય રાઉતે કહ્યું કે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ઓબામા (Ex US President Barack Obama)તે નક્કી કરી શક્યા નહી કે દેશના નેતા કેવા હોય અને તેમને આ કોણે અધિકાર આપ્યો છે, ભલે મોદી હોય કે રાહુલ ગાંધી કોઇના વિશે બોલવાનો તેમને અધિકાર નથી. 


રાજકીય ઓપરેશન પર તંજ
સંજય રાઉતએ આ સાથે પડકાર આપતાં કહ્યું કે મહારાષ્ટ્રની મહાઅઘાડી સરકારને કોઇ ખતરઓ નથી, કારણ કે આ કોઇ ઓપરેશન લોટસ નહી ચાલે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube