મુંબઇ: શિવસેના (Shiv Sena) નેતા અને રાજ્યસભા સાંસદ સંજય રાઉત (Sanjay Raut) એ કહ્યું કે સરકાર બનશે તો મુખ્યમંત્રી શિવસેનો જ હશે. તેમણે કહ્યું કે અમે ઇચ્છીએ છીએ કે શિવસેનાનો મુખ્યમંત્રી 25 વર્ષ સુધી રહે. સંજય રાઉતે કહ્યું કે શિવસેનાને હવે રોકી શકશે નહી. મહારાષ્ટ્ર (Maharashtra) ને નેતૃત્વ શિવસેના જ આપશે કોઇ રોકવાનો લાખ પ્રયત્ન કરે. તેમણે કહ્યું કે ન્યૂનતમ શેર કાર્યક્રમ રાજ્યના હિતમાં હશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તમને જણાવી દઇએ કે મહારાષ્ટ્રમાં સરકાર રચવા માટે શિવસેના (Shiv Sena), રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) અને કોંગ્રેસ (Congress)ના નેતાઓએ ગુરૂવારે સાંજે બેઠક યોજી હતી. તેમાં સરકાર બનાવવા માતે ન્યૂનતમ શેર કાર્યક્રમ તૈયાર કરવા માટે કમિટી રચવામાં આવી હતી. 


આ કમિટીમાં શિવસેના, એનસીપી અને કોંગ્રેસના 5-5 સભ્યો રાખવામાં આવ્યા છે. સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે ગઠબંધન પહેલાં કોંગ્રેસ ઇચ્છે છે કે શિવસેના કટ્ટર હિંદુત્વના મુદ્દાના બદલે ધર્મનિરપેક્ષતા પર વિશ્વાસ મુકે. તમને જણાવી દઇએ કે સરકર રચવા માટે 17 સપ્ટેમ્બરે કોંગ્રેસ અને એનસીપી નેતા દિલ્હીમાં બેઠક કરી શકે છે. 


સંજય રાઉતે શુક્રવારે એક ટ્વિટ કર્યું હતું અને કહ્યું કે એક નવી આશા તરફ ઇશારો કર્યો. તેમણે પોતાના ટ્વિટમાં લખ્યું હતું કે 'બંદે હમ ઉસકે હમપર કિસકા જોર, ઉમ્મીદો કે સૂરજ નિકલે ચારો ઓર'.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube