નવી દિલ્હીઃ ભારતીય જનતા પાર્ટીએ આગામી લોકસભા ચૂંટણી 2019 માટે બહાર પાડેલા સંકલ્પ પત્રમાં જો તેમની સરકાર આવશે તો દેશના તમામ ખેડૂતોને 'પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ'માંથી પેન્શન આપવાનું વચન આપ્યું છે. સંકલ્પ પત્ર બહાર પાડતા ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહે જણાવ્યું કે, સંકલ્પ પત્રમાં નાના ખેડૂતોને સામાજિક સુરક્ષા માટે 60 વર્ષની ઉંમર પછી પેન્શન યોજનાનો ઉલ્લેખ કર્યો છે. રાજનાથ સિંહે જણાવ્યું કે, કૃષિ ક્ષેત્રે ઉત્પાદક્તા વધારવા માટે રૂ.25 લાખ કરોડનું રોકાણ કરાશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉલ્લેખનીય છે કે, ચૂંટણી પહેલાના વચગાળાના બજેટમાં મોદી સરકારે મધ્યમ વર્ગ, ખેડૂતો અને મજૂરો માટે અનેક લાભદાયી જાહેરાતો કરી હતી. સરકારે તેમાં 2 હેક્ટર જેટલી જમીન ધરાવતા ખેડૂતોને રૂ.6000નું વાર્ષિક પેન્શન આપવાની જાહેરાત કરાઈ હતી. જેમાંથી પ્રથમ હપ્તો ખેડૂતોને આપી પણ દેવાયો છે. હવે, મોદી સરકારે ચૂંટણી પહેલાના પોતાના સંકલ્પ પત્રમાં તમામ ખેડૂતોને આ યોજનામાં સામેલ કરવાનું વચન આપ્યું છે. ભાજપનો દાવો છે કે જો 2019માં તેમની સરકાર ફરીથી બનશે તો તમામ ખેડૂતોને વર્ષમાં રૂ.6000 બે-બે હજારના હપ્તામાં મળશે. 


ભાજપનો ચૂંટણી ઢંઢેરો : 'સંકલ્પ પત્ર'ના 75 મહત્વના સંકલ્પ, જુઓ એક જ ક્લિક પર


આ ઉપરાંત રાજનાથ સિંહે જણાવ્યું કે, "સંકલ્પ પત્રમાં નાના અને ખેતિ આધારિત ખેડૂતોની સામાજિક સુરક્ષા માટે 60 વર્ષની ઉંમર પછી પેન્શનની યોજનાનો ઉલ્લેખ કર્યો છે." તેમણે સાથે જ તેમાં નાના દુકાનદારોને પણ 60 વર્ષની વય પછી પેન્શન યોજનાનો ઉલ્લેખ કર્યો છે. 


લોકસભા ચૂંટણી 2019ના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક....


રાજનાથે વધુમાં જણાવ્યું કે, ભારત વર્ષ 2025 સુધી 5 લાખ કરોડ ડોલર અને 2032 સુધીમાં 10 લાખ કરોડનું અર્થતંત્ર બની જશે. 


ભાજપે બહાર પાડ્યું 'સંકલ્પ પત્ર', PM મોદીએ કહ્યું- '2022માં અમે 3 વર્ષના કામનો આપીશું હિસાબ'


આ ઉપરાંત પાર્ટીના સંકલ્પ પત્રમાં રૂ.100 લાખ કરોડના મૂડી રોકાણ અને સૂક્ષ્મ, લઘુ તથા મધ્યમ ઉદ્યોગો માટે રૂ.1 લાખ કરોડની ક્રેડિટ ગેરન્ટી યોજનાનો પણ ઉલ્લેખ કરાયો છે. 


ભારતના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક...