નવી દિલ્હી: જેએનયુ વિદ્યાર્થીની અને પૂર્વ વિદ્યાર્થી સંઘની નેતા શહેલા રાશિદે રવિવારે કાશ્મીર પર વિવાદસ્પદ ટ્વીટ કર્યાં જેમાં ભારતીય સેના પર આરોપ લગાવ્યાં. ભારતીય સેનાએ શેહલાના આ આરોપોને ફગાવી દીધા હતાં. હવે આ તથ્યવિહોણા આરોપો બદલ સુપ્રીમ કોર્ટમાં ફરિયાદ દાખલ કરાઈ છે. ફરિયાદમાં કહેવાયું છે કે શેહલાએ પોતાની ટ્વીટ્સ દ્વારા ભારતીય સેના પર નિરાધાર આરોપ લગાવ્યાં છે. તેમના વિરુદ્ધ દેશદ્રોહનો કેસ થવો જોઈએ. ફરિયાદમાં સુપ્રીમ કોર્ટ પાસે શેહલા રાશિદની ધરપકડની માગણી કરાઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુપ્રીમ કોર્ટના વકીલ અલખ આલોક શ્રીવાસ્તવે શેહલા રાશિદના ટ્વીટને પોતાની ફરિયાદનો આધાર બનાવ્યો છે અને તેમના વિરુદ્ધ IPCની કલમ 124એ, 153, 153એ, 504, 505 અને IT એક્ટની અલગ અલગ કલમો હેઠળ ગુનો દાખલ કરી કાર્યવાહી કરવાની માગણી કરી છે. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...