નવી દિલ્હીઃ Vinod Dua Death News: વરિષ્ઠ પત્રકાર વિનોદ દુઆનું 67 વર્ષની ઉંમરે દિલ્હીમાં નિધન થયુ છે. તેમના પુત્રી અને અભિનેત્રી મલ્લિકા દુઆએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી દ્વારા નિધનની પુષ્ટિ કરી છે. વિનોદ દુઆના અંતિમ સંસ્કાર કાલે લોધી સ્મશાન ઘાટમાં થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મલ્લિકા દુઆએ પોતાના પિતાની એક તસવીર શેર કરી અને લખ્યુ- અમારા નિડર અને અસાધારણ પિતા, વિનોદ દુઆનું નિધન થયુ છે. તેમણે એક અદ્વિતીય જીવન જીવ્યુ, દિલ્હીની શરણાર્થી કોલોનીઓમાંથી 42 વર્ષ સુધી તેઓ પત્રકારત્વના શિખરને વધારતા હંમેશા સત્ય બોલતા રહ્યા. તે હવે અમારા માતા, તેમના પ્રેમાળ પત્ની ચિન્નાની સાથે સ્વર્ગમાં છે, જ્યાં તે ગીત, ભોજન બનાવવું, યાત્રા કરવી એક-બીજા માટે જારી રાખશે. 


વિનોદ દુઆને દિલ્હીની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને આ વર્ષે કોવિડ સંક્રમણ પણ થયુ હતું. પાછલા સપ્તાહે તેમને પોસ્ટ કોરોના વાયરસ જટિલતાઓને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, ત્યારે તેમની પુત્રી મલ્લિકાએ એક સ્વાસ્થ્ય અપડેટ જાહેર કર્યુ હતું. 


MSP ને લઈને મોટો નિર્ણય, કિસાનો તરફથી કમિટીમાં રહેશે આ 5 નેતા


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube