નવી દિલ્હીઃ દેશ આ સમયે કોરોના સંક્રમણની બીજી લહેરની ઝપેટમાં છે. છેલ્લા કેટલાક દિવસથી 4 હજારથી વધુ લોકોના એક દિવસમાં મૃત્યુ થઈ રહ્યાં છે. આ કારણ છે કે વેક્સિનની માંગ વધી રહી છે. ઘણી રાજ્ય સરકારોએ તો વેક્સિનની કમી પર સવાલ ઉઠાવ્યા છે. આ વચ્ચે સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયાના સીઈઓ અદાર પૂનાવાલાએ એક નિવેદન જારી કરી કહ્યુ કે, ભારત મોટી જનસંખ્યાવાળો દેશ છે અને આટલી મોટી વસ્તીને 2-3 મહિનામાં વેક્સિનેશન કરવી શક્ય નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયા તરફથી જારી કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું- આપણે વિશ્વની સૌથી મોટી વસ્તીવાળા બે દેશોમાંથી છીએ, આટલી મોટી જનસંખ્યાનું રસીકરણ 2-3 મહિનામાં પૂરુ ન થઈ શકે. તેમાં ઘણા પ્રકારના પડકાર અને કારણ સામેલ હોય છે. આખા વિશ્વને રસી લગાવવામાં 2-3 વર્ષનો સમય લાગશે. 


corona: છેલ્લા 15 દિવસમાં દેશમાં ઘટી કોરોનાની ગતિ, રિકવરી રેટ વધ્યોઃ સ્વાસ્થ્ય મંત્રાલય


સીરમ તરફથી કહેવામાં આવ્યું કે, અમે 20 કરોડથી વધુ ડોઝની ડિલિવરી કરી છે, છતાં તે માટે અમને ઇમરજન્સી ઉપયોગની મંજૂરી યૂએસની ફાર્મા કંપનીને મંજૂરી મળ્યાના બે મહિના બાદ મળી. જો કુલ ડોઝ બનાવવા અને ડિલિવર કરવા પર નજર કરો તો અમે દુનિયામાં ટોપ-3માં છીએ. અમે નિર્માણ સતત વધારી રહ્યાં છીએ અને ભારતને પ્રાથમિકતા આપીએ છીએ. અમને તે વાતની આશા છે કે અમે  COVAX અને અન્ય દેશોને આ વર્ષના અંત સુધી વેક્સિનની ડિલિવરી આપવાનું શરૂ કરી દેશું. 


કંપનીના સીઈઓ પૂનાવાલાએ કહ્યુ કે, અમે ભારતના લોકોનો જીવ ખતરામાં મૂકી વેક્સિન એક્સપોર્ટ કરી નથી. અમે દેશમાં વેક્સિનેશન ડ્રાઇવને સમર્થન આપવા માટે પ્રતિબદ્ધ છીએ. 


દેશના અન્ય સમાચારો વાંચવા અહીં ક્લિક કરો


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube