બેંગલુરુ: બેંગલુરુમાં એક કાર્યક્રમ સ્થળની બહાર મોટી સંખ્યામાં લોકોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સમર્થનમાં નારા લાગાવ્યા હતા. આ કાર્યક્રમમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી કાર્યકર્તાઓનું સોમવારે સંબોધન કરી રહ્યાં હતાં. ‘મોદી-મોદી’ના નારા લગાડનાર પ્રદર્શનકાર્તાઓ પાસે પોસ્ટર હતા જેમાં ગાંધીથી કાર્યક્રમ સ્થળ છોડવાનું કહેવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં ટોળું એકત્રીત થતા પોલીસે પ્રદર્શનકારીઓને ત્યાંથી હટાવ્યા હતા. ભાજપ સૂત્રોએ આરોપ લગાવ્યો કે પ્રદર્શનકાર્તાઓની અટકાયત કરવામાં આવી છે.


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...