મુંબઇ: બોલીવુડ એક્ટર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન જેલ અને જામીન વચ્ચે ફસાયેલા છે. આર્યનની અરજી પર બે દિવસથી હાઇકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. હવે આજે ફરી એકવાર આર્યનની જામીન સુનવણી થઇ હતી. ત્યારે ઘણા દિવસોથી લોકોના મનમાં મોટો પ્રશ્ન ઉદભવી રહ્યો હતો કે શું આજે તેમને જામીન મળશે કે કે? ત્યારે આર્યન ખાનને મોટી રાહત મળતાં કોર્ટે જામીન મંજૂર કર્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુપર સ્ટાર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનને આજે 25 દિવસ બાદ જામીન મળી ગયા છે. આર્યનની સાથે સાથે અરબાઝ અને મુનમુન ધનેચાને પણ જામીન પર છોડવામાં આવશે. બોમ્બે હાઇકોર્ટમાં જામીનને લઇને ગત ત્રણ દિવસમાં સુનાવણી ચાલી રહી હતી. આજે આ મામલે નિર્ણય આવી ગયો છે અને જામીનવાળા નિર્ણય પર કોર્ટની વિસ્તૃત કોપી આવતીકાલે આવશે. 

મોંઘવારીની માર: ચા 5100 તો શેમ્પૂની બોટલ 14000 રૂપિયા, 3300 માં વેચાઇ રહ્યા છે કેળા

ASG ની દલીલ પર મુકલ રોહતગીનો જવાબ ASG અનિલ સિંહની દલીલનો જવાબ આપતાં કોર્ટમાં આર્યન ખાનના વકીલ મુકુલ રોહતગીએ કહ્યું- આર્યન- અરબાઝ સાથે હતો પરંતુ ખબર ન હતી કે અરબાઝ પાસે ડ્રગ્સ હતું. આર્યન ખાનને કોઇ કાવતરું કર્યું નથી. કાવતરાને સાબિત કરવા માટે પુરતા પુરાવા હોવા જોઇએ. કાવતરું સાબિત કરવું મુશ્કેલ છે પરંતુ પુરવાનું શું? માનવ અને ગાબા આર્યન ખાનને ઓળખતા હતા પરંતુ તેમની ધરપકડ કરવામાં આવી ન હતી. કેસમાં બે લોકોને પહેલાં જ જામીન આપવામાં આવ્યા છે. 


આર્યન ખાનના વકીલ 3 વખત પ્રયત્ન કર્યા બાદ સ્ટારકિડના જામીન મંજૂર કરાવી શકયા છે. આ પહેલાં સેશન્સ કોર્ટે બે વાર આર્યન ખાનની જામીન અરજીને નકારી કાઢી હતી. 


કિરણ ગોસાવીને 8 દિવસની પોલીસ કસ્ટડી
આર્યન ખાન સંગ એનસીબી ઓફિસમાં સેલ્ફી લેનાર કિરણ ગોસાવીને કોર્ટે છેતરપિંડીના કેસમાં 8 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલ્યા છે. કિરણ ગોસાવી મુંબઇ ક્રૂઝ શિપ ડ્રગ્સ કેસના વિવાદિત સાક્ષી છે. તેમને પૂણે પોલીસે 2018 માં છેતરપિંડીના એક કેસમાં છેતરપિંડી કરી હતી. 


આર્યને મિસ કર્યા આ ફેમિલી સેલિબ્રેશન્સ
આર્યન ખાનને ડ્રગ્સ કેસમાં ફસાયા બાદ ઘણી ફેમિલી સેલિબ્રેશન્સને મિસ કર્યા હતા. આર્યન ખાને જેલમાં થનાર મન્નતમાં ગૌરી ખાનનો બર્થ ડે, શાહરૂખ ખાન-ગૌરીની મેરેજ એનિવર્સરી સેલિબ્રેટ કરવામાં આવ્યું ન હતું. પરંતુ હવે ખુશીની વાત એ છે કે પિતા શાહરૂખ ખાનના બર્થડે (2 નવેમ્બર)ને આર્યન પરિવારની સાથે રહેશે. તે દિવાળી જશ્ન પણ ઉજવશે. 


આર્યનને જામીન મળતાં સેલેબ્સએ વ્યક્ત કરી ખુશી
બોમ્બ હાઇકોર્ટએ આર્યન ખાનના જામીન પર નિર્ણય સંભળાવ્યો સેલેબ્સના રિએક્શન આવવા લાગ્યા. કોર્ટે ફેંસલા બાદ આર માધવનએ ટ્વીટ કરી લખ્યું- ભગવાનનો આભાર. એક પિતા હોવાના નાતે હું રાહત અનુભવું છું. આશા છે કે સારી અને પોઝિટિવ વસ્તુઓ થાય.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube