નવી દિલ્હીઃ નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ દિલ્હીના શાહીન બાગમાં પાછલા બે મહિનાથી પ્રદર્શન ચાલી રહ્યું છે. આ મામલા પર સુપ્રીમ કોર્ટે કેટલાક વાર્તાકારની નિમણૂંક કરી છે, જે પ્રદર્શનકારીઓને જગ્યા બદલવાની અપીલ કરશે. પ્રદર્શનકારીઓને વાર્તાકાર મળ્યા આ પહેલા ભારતીય જનતા પાર્ટીએ મોટો આરોપ લગાવ્યો છે. અમિત માલવીયે એક વીડિયો ટ્વીટ કર્યો છે, જેમાં સામાજીક કાર્યકર્તા તીસ્તા સીતલવાડ પ્રદર્શનકારીઓને સવાલ સમજાવી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાજપનો દાવો છે કે વાર્તાકારો સાથે વાત કરવા માટે શાહીન બાગના પ્રદર્શનકારીઓને તાલીમ આપવામાં આવી રહી છે. આ તાલીમ બીજું કોઈ નહીં પરંતુ તીસ્તા સીતલવાડ આપી રહી છે. ભાજપ આઈટી સેલના પ્રમુખ અમિત માલવીયે એક વીડિયો ટ્વીટ કરીને આ દાવો કર્યો છે કે વાર્તાકારોને શું સવાલ-જવાબ કરવાના છે તેની તાલીમ પ્રદર્શનકારીઓને તીસ્તા સીતલવાડ આપી રહી છે. અમિતે લખ્યું છે કે જુઓ આ આંદોલન કેટલું સ્વયંભૂ છે. 


અમિત માલવીયે શાહીન બાગનો દાવો કરતો જે વીડિયો જારી કર્યો છે, તેમાં તીસ્તા સીતલવાડ ઉભી છે. તેની સાથે હાજર એક યુવતી પ્રદર્શનકારીઓને સવાલ સમજાવી રહી છે. તે કહી રહી છે કે આ સવાલ છે પરંતુ જવાબ કોઈએ આપવાનો નથી. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...