નવી દિલ્હી : જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, વ્યક્તિના જીવન પર ગ્રહોની દિશા અને દશાનો બહુ જ ઊંડો પ્રભાવ પડતો હોય છે. ગ્રહની દશા જ છે, જે કોઈનું કામ બનાવી દે છે, તો કોઈનું બનાવેલું કામ પણ બગાડી દે છે. આવામાં આજે શનિની સ્થિતિની વાત કરીએ, તેની સ્થિતિ બદલવાનો મુખ્ય સંકેત માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, ગઈકાલથી ગ્રહોની સ્થિતિમાં બદલાવને પગલે શનિનો મહાયોગ શરૂ થઈ રહ્યો છે. જેનો અલગ અલગ રાશિના લોકો પર અલગ અલગ પ્રભાવ જોવા મળશે. જ્યોતિષાચાર્યોનું કહેવું છે કે, શનિનો મહાયોગનો 5 રાશિના જાતકોને સારો લાભ કરાવશે. તો અન્ય 7 રાશિઓ પર તેની વિપરીત અસર જોવા મળી શકે છે. તો જાણી લો કે, કઈ રાશિના લોકોને શનિના મહાયોગનો લાભ મળવાનો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મેષ રાશિ
જ્યોતિષાચાર્યોના જણાવ્યા અનુસાર, શનિના મહાયોગનો મેષ રાશિવાળો પર બહુ જ સકારાત્મક પ્રભાવ જોવા મળી શકે છે. આ મહાયોગ દરમિયાન મેષ રાશિવાળાઓને કાર્યક્ષેત્રથી લઈને પરિવારમાં પણ અનેક લાભ થવાના શક્યતા છે. મેષ રાશિના જાતક આ દરમિયાન જે પણ કામ શરૂ કરશે, તે જરૂર સફળ રહેશે. આ દરમિયાન લીધેલ ડિસીઝન્સ તેમના માટે લાઈફ ચેન્જિંગ સાબિત થઈ શકે છે. 


મિથુન રાશિ
મિથુન રાશિના જાતકો માટે પણ શનિનો મહાયોગ બહુ જ ફળદાયી સાબિત થવાનો છે. આ મહાયોગ દરમિયાન મિથુન રાશિના જાતકો દ્વારા લેવાયેલ નિર્ણય તેમના જીવન માટે બહુ જ લાભકારી સાબિત થઈ શકે છે. પરંતુ આ દરમિયાન તેમણે ગુસ્સો અને લડાઈ-ઝઘડાથી દૂર રહેવુ બહુ જ જરૂરી છે. તો શિક્ષાની દ્રષ્ટિથી પણ શનિનો મહાયોગ તેમને લાભ અને માત્ર ફાયદો આપનારો સાબિત થશે. આ સાથે જ યાત્રાના પણ યોગ છે. 


કન્યા રાશિ
કન્યા રાશિના જાતકો માટે આ યોગ પારિવારિક દ્રષ્ટિથી બહુ જ લાભગારી સિદ્ધ થઈ શકે છે. સાથે જ કાર્યક્ષેત્રમાં પણ તમે સફળતા તરફ આગળ વધશો. પ્રયાસો કરો કે, મહાયોગ દરમિયાન જરૂરિયાતમંદ લોકોની મદદ કરો અને મુસાફરી દરમિયાન સાવધાની રાખો. આ દરમિયાન કરવામાં આવેલી મુસાફરી તમારા સ્વાસ્થય પર થોડો નકારાત્મક પ્રભાવ પાડી શકે છે.


કુંભ રાશિ
કુંભ રાશિના જાતકો માટે આ મહાયોગ ખુશીઓની સીઝન લઈને આવનારી સાબિત થઈ શકે છે. આ દરમિયાન કોઈ પણ નિર્ણયમાં તમને સફળતા મળવાની પૂરી શક્યતા છે અને બગડેલા કામ બની શકે છે. આ દરમિયાન કોઈ પણ પ્રાણીને તકલીફ પહોંચાડવાથી બચો, તે તમારા માટે નુકશાદાયક સાબિત થશે. પારિવારિક અને સામાજિક દ્રષ્ટિથી જોઈએ તો બંને ક્ષેત્રોમાં તમારી પ્રતિષ્ઠા અને સન્માનમાં ચાર ગણી સફળતા મળવાનો સાબિત થશે.


મીન રાશિ
જ્યોતિષાચાર્યના મુજબ, મીન રાશિના જાતકો માટે શનિનો મહાયોગ તકલીફોમાંથી મુક્તિ આપનારો સાબિત થશે. નોકરી અને વ્યવસાયમાં પણ આર્થિક બાધાઓ દૂર કરનારો સમય સાબિત થશે અને બગડેલા કામ બહુ જ સરળતાથી બની જશે. જેનાથી પારિવારિક કલેહથી પણ મુક્તિ મળશે.