Shani Margi 2022 Effect: ન્યાય અને કર્મફલદાતા શનિ 23 ઓક્ટોબર 2022ના મકર રાશિમાં સીધી ચાલ શરૂ કરશે. શનિ માર્ગી ચાલમાં 17 જાન્યુઆરી 2023 સુધી રહેશે. આ દરમિયાન શનિ ધનિષ્ઠા નક્ષત્રમાં રહેશે જે મંગળનું નક્ષત્ર છે. શનિ અને મંગળ આપસમાં શત્રુતાનો ભાવ રાખે છે. આ રીતે શનિ-મંગળનો અશુભ યોગ બનશે. જો શનિ માર્ગીમાં હોય તો શનિની સાડાસાતી અને શનિ ધૈયાથી પીડિત લોકોને રાહત મળશે. પૂર્વવર્તી સ્થિતિમાં શનિ સૌથી વધુ પીડાદાયક સાબિત થાય છે. જાણો કઈ રાશિના જાતકોને શનિના માર્ગથી મળશે રાહત-


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1. મકર- શનિ મકર રાશિમાં માર્ગી થશે. વર્તમાનમાં મકર રાશિના જાતક શનિની સાડાસાતીથી પીડિત છે. શનિના માર્ગી થવા પર મકર રાશિવાળાની મુશ્કેલી ઓછી થશે. અટકેલા કામ પૂરા થશે. રોકાયેલું ધન પરત આવશે. મકર રાશિના જાતક શનિવેદના અશુભ પ્રભાવને ઓછો કરવા માટે શનિની આરાધના લાભકારી રહેશે. 


2. કુંભ- કુંભ રાશિવળા પર શનિની સાડાસાતીનો પ્રભાવ છે. શનિની માર્ગી થવા પર કુંભ રાશિના જાતકોને શુભ ફળોની પ્રાપ્તિ થઈ શકે છે. કુંભ રાશિના જાતકોને સંતાન તરફથી સારા સમાચાર મળી શકે છે. નોકરી તથા વ્યાપારમાં પ્રગતિ થશે. 


3. ધન- ધન રાશિના જાતકો પર શનિની સાડાસાતીનો પ્રભાવ છે. શનિના માર્ગી થવા પર તમને કામમાં સફળતા હાસિલ થશે. શનિના માર્ગી થવા પર તમને કરિયર સંબંધિત સારા સમાચાર મળી શકે છે. શનિદેવની કૃપાથી તમને શુભ ફળોની પ્રાપ્તિ થશે. 


આ પણ વાંચોઃ Diwali 2022: દિવાળી પર ચમકી જશે આ 3 રાશિના જાતકોનું ભાગ્ય, થશે માં લક્ષ્મીની કૃપા


4. મિથુન- મિથુન રાશિ પર શનિ ધૈયાનો પ્રભાવ છે. શનિની સીધી ચાલ ચાલવાથી મિથુન રાશિના જાતકોને કરિયરમાં નવા અવસર પ્રાપ્ત થઈ શકે છે. નવી સિદ્ધિ મળી શકે છે. લાંબા સમયથી અટકેલા કામ પૂરા થઈ શકે છે. 


5. તુલા- તુલા રાશિ પર શનિ ધૈયાનો પ્રભાવ છે. શનિના માર્ગી થવા પર તુલા રાશિના જાતકોને શુભ ફળની પ્રાપ્તિ થશે. તુલા રાશિના જાતકોને પરિવારનો સહયોગ પ્રાપ્ત થશે. ધન લાભનો યોગ બનશે. આર્થિક સ્થિતિમાં સુધાર થશે. 


(સામાન્ય જાણકારી અને ધાર્મિક માન્યતાના આધારે આ માહિતી આપવામાં આવી છે. ઝી 24 કલાક સંપૂર્ણ સટીક હોવાનો દાવો કરતું નથી. તમે કોઈ જ્યોતિષની સલાહ લઈ શકો છો)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube