નવી દિલ્હી : એનસીપી અધ્યક્ષ શરદ પવાર હવે લોકસભા ચૂંટણી લડવાની તૈયારીમાં છે. સુત્રો અનુસાર તેમણે ચૂંટણી માટે માઢા વિસ્તાર પર પસંદગી ઉતારી છે. પવાર 77 વર્ષની ઉંમરમાં એક વાર ફરીથી ચૂંટણી સમરમાં ઉતરવા તૈયાર છે. શરદ પવારે મહારાષ્ટ્રમાં 10થી વધારે સીટોને જીતવાનું લક્ષ્યાંક મુક્યું છે. પુણેની બારામતી હોસ્ટેલમાં એનસીપીની 3 કલાક કરતા પણ વધારે સમય સુધી મીટિંગ ચાલી હતી. આ મીટિંગમાં એનસીપી નેતા શરદ પવાર, એનસીપી પ્રદેશ અધ્યક્ષ જયંતી પાટીલ, છગન ભુજબલ અને માઢા ચૂંટણી ક્ષેત્રના સાંસદ વિજયસિંહ મોહીતો પાટીલ પણ હાજર હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જમ્મુ કાશ્મીરમાં મહત્વનો નિર્ણય: લદ્દાખને અલગ વિભાગ બનાવાશે

આ મીટિંગમાં સોલાપુર જિલ્લાના માઢા સંસદી વિસ્તાર અંગે ચર્ચા કરવામાં આવી. એટલા માટે હાલનાં સાંસદ વિજય સિંહ મોહાતી પાટિલને પણ બોલાવ્યા હતા. સુત્રો અનુસાર હાલના સાંસદ વિજય સિંહ પાટિલની વિરુદ્ધ માઢા સંસદીય વિસ્તારમાં નારાજગીનો મુદ્દો શરદ પવારે ઉઠાવ્યો હતો. ત્યારે મોહીતે પાટિલમાં પોતાનાં પુત્ર રણજીત સિંહ મોહીતે પાટીલની ટીકિટ આપવાની વાત કરી, પરંતુ શરદ પવારે મનાઇ કરી. માઢા ચૂંટણી ક્ષેત્રમાં સીટ બચાવવા માટે પોતે મેદાનમાં ઉતારવા પડશે એવું જણાવીને શરદ પવારે લોકસભા ચૂંટણી લડવા અંગેની ઇચ્છા વ્યક્ત કરી હતી. 


VIDEO: મિત્રો સાથે મસ્તી કરી રહી હતી સની લિયોની, વિચાર્યું પણ નહી હોય આવુ થશે !

બીજી તરફ પુણેમાં મીડિયા સાથે વાત કરતા એનસીપી અધ્યક્ષ શરદ પવારે કહ્યું કે, માઢા લોકસભા સંસદીય ક્ષેત્રથી ચૂંટણી લડવાનો આગ્રહ એનસીપીનાં મારા તમામ સહકારીઓએ કર્યો છે, તેમના આગ્રહ બાદ જ મે માઢાથી ચૂંટણી લડવા અંગે વિચાર કરીશ.