લખનઉ: ઉત્તર પ્રદેશ કોંગ્રેસ કમિટીના ઉપાધ્યક્ષ તેમજ વિધાન સભાના પૂર્વ સભ્ય સિરાજ મેહદીએ કહ્યું હતું કે લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના રથને રોકવા માટે સમાન અને ધર્મનિરપેક્ષ વિચારધારાની પાર્ટીઓએ હવે એક મંચ પર આવવા માટે વિલંબ કરવો જોઇએ નહીં. આ વિલંબ વ્યૂહરચનાને નબળી બનાવશે. મહેંદીએ જણાવ્યું હતું કે કેટલાક રાજકીય પક્ષોના બિનજરૂરી નિર્ણયથી ભાજપના વિરોધની વ્યૂહરચના નબળી પડી રહી છે, પરંતુ મહા ગઠબંધનની વિશ્વસનીયતા પર પણ આફત ઉભી કરી રહ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેમણે કહ્યું કે, કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સાંપ્રદાયિક શક્તિઓના વિરોધના નામે સમગ્ર દેશમાં વિપક્ષી દળોને એકસાથે લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. સામાન્ય ચૂંટણીમાં બીજેપી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મોટો પડકાર આપવાનો પ્રયત્ન સફળ થઇ રહ્યો છે. બિન-ભાજપ પક્ષના ટોચના નેતાઓ શક્ય તેટલી વહેલી તકે નિર્ણય લેવો જોઈએ, વિલંબ અમારા કાર્યસૂચિને નિષ્ફળ કરશે.


મેહદીએ કહ્યું કે, બિન-ભાજપ પક્ષોને ભયથી ડરતા રહેવાને બદલે રાષ્ટ્રીય હિતમાં આગળ વધવાની જરૂર છે, તયારે અહંકારી કેન્દ્ર સરકાર અને તેના વડા પ્રધાનને હરાવી શકાય છે. કોંગ્રેસ નેતાએ કહ્યું કે બીજેપી ઝડપીથી લોકસભા ચૂંટણીની તૈયારી અને ઉમ્મેદવારો માટે નિર્ણય લઇ તેમને મેદાનમાં ઉતારી શકે છે. ત્યારે બિન-ભાજપ પક્ષો હજુ તો નીતિ અને રીતની મૂંઝવણમાં છે. અનિશ્ચિતતાના કિસ્સામાં, ગ્રાઉન્ડ કાર્યકર પણ મૂંઝવણમાં છે.


વધુમાં તેમણે જણાવ્યું હતું કે, બિન-ભાજપ પાર્ટીઓમાં રાજકારણીય તેમજ બીજા હિતોને પ્રાથમિકતા આપવાની જગ્યાએ મહા ગઠબંધને મજબૂત કરવા તથા ભાજપને હરાવવાની દિશામાં યુદ્ધ સ્તર પર કામ શરૂ કરવું જોઇએ. મેહદીએ કહ્યું કે તાજેતરમાં આવ્યા બસપા પ્રમુખ માયાવતી અને સપા પ્રમુખ અખિલેશ યાદવના નિવેદન પર કોંગ્રેસ પાર્ટીએ તાત્કાલીક વિચાર કરી સ્થિતિને સ્પષ્ટ કરવી જોઇએ. આ વાત કરવાની ફરજ મોટી પાર્ટીના નેતા કોંગ્રેસની બને છે અને વિરોધી આ સંદેશ વારંવાર આપી રહ્યો છે.
(ઇનપુટ-આઇએએનએસ)