Sudhir Suri Shot Dead: પંજાબના શિવસેના નેતા સુધીર સૂરીની પંજાબના અમૃતસરમાં ગોળી મારીને હત્યા કરી દીધી છે. આ ઘટના અમૃતસરના મજીઠા રોડ પર ગોપાલ મંદિરની બહાર સર્જાઇ, આ ઘટનામાં સૂરીને બે ગોળીઓ વાગી. ઘટન બાદ શિવસેના નેતાને હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા, જ્યાં તેમની હાલત નાજુક બતાવવામાં આવી રહી હતી. શિવસેના નેતા ગોપાલ મંદિરની બહાર કચરાને લઇને ધરણા આપી રહ્યા હતા.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુધીર સૂરી પર બે હુમલાવરોએ હુમલો કર્યો જેમાંથી એકને પોલીસે ધરપકડ કરી લીધી. તેમની ઓળખ સંદીપના રૂપમાં થઇ છે. વધુ એક હુમલાવર ફરાર થઇ ગયો. હુમલાવર સંદીપે લાઇસન્સી હથિયારનો ઉપયોગ કર્યો. હથિયાર પણ મળી આવ્યા છે. 



સમગ્ર ઘટના પર અમૃતસરના સીપીએ કહ્યું કે ''સુધીર સૂરીએ અંદોલન દરમિયાન ગોપાલ મંદિર, અમૃતસરની બહાર ગોળી મારી દીધી હતી. તેમને ગોળી વાગી અને તેમને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા અને તેમનું મોત થયું. આરોપીની ધરપકડ કરવામાં આવી અને તેમના હથિયાર મળી આવ્યા છે.