મુંબઇ: ભાજપ (BJP)ને સત્તાથી દૂર રાખવા માટે શિવસેના(shiv sena)એ નવી ઓફર મુકી છે. સૂત્રોના અનુસાર શિવસેના અઢી વર્ષ માટે અજિત પવાર (Ajit Pawar)ને સીએમ પદ આપવા માટે તૈયાર થઇ ગઇ છે. સૂત્રોનું કહેવું છે કે શિવસેના પાંચ વર્ષ માટે પોતાના સીએમ પદની માંગને છોડવા માટે તૈયાર છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બીજી તરફ કોંગ્રેસ એનસીપી અને શિવસેના (Shiv Sena) પોત-પોતાના ધારાસભ્યોને હોટલમાં રોકાવવાની વ્યવસ્થા કરી છે. જેથી ભાજપ અને એનસીપીના બાગી નેતા તેમની એકતા તોડી ન શકે. શિવસેનાએ પોતાના ધારાસભ્યોને હોટલ લલિતમાં, કોંગ્રેસે જેડબ્લ્યૂ મેરિએટમાં અને એનસીપીએ રિનેસાંમાં રાખ્યા છે. 

મહારાષ્ટ્રના રાજકા'રણ'માં નિર્ણાયક દિવસ, સુપ્રીમ કોર્ટમાં આજે થશે મહત્વપૂર્ણ સુનવણી


શિવસેના નેતા સુભાષ દેસાઇ શિવસૈનિક ધારાસભ્યોના સંપર્કમાં છે. હોટલની ઘેરાબંધી કરવામાં આવી છે અને ત્યાંથી કોઇપણ ધારાસભ્યને બહાર જવાની પરવાનગી નથી. શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાક્રેના નિર્દેશ પર ધારાસભ્યોની સુરક્ષાની જવાબદારી મિલિંદ નાર્વેકર સંભાળી રહ્યા છે. ઉદ્ધવ ઠાકરેના ઉત્તરાધિકારી આદિત્ય ઠાકરે પણ ધારાસભ્યોને મળીને તેમનું બનોબળ વધારવામાં લાગ્યા છે. 


એનસીપીમાં ધારાસભ્યોને સંભાળવાની જવાબદારી જિતેંદ્વ અહવદ સંભાળી રહ્યા છે. તે ખાસકરીને ગણેશ નાઇક પર નજર રાખી રહ્યા છે, જેમણે ચૂંટણી પહેલાં ભાજપ સાથે સંપર્ક કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. પાર્ટી પ્રમુખ શરદ પવાર પોતે પોતાના સભ્યોને મળી રહ્યા છે. 


તો બીજી તરફ પોતાના ધારાસભ્યોની નજર રાખવા માટે દિલ્હીથી આવેલા નેતાઓ પર નિર્ભર છે. પાર્ટીએ શરૂઆતમાં પોતાના ધારાસભયોને મુંબઇથી બહાર કોઇ હોટલમાં રોકાવવાની યોજના બનાવી હતી, પરંતુ સુપ્રીમ કોર્ટનો આદેશ આવતાં શરદ પવારની સલાહ પર પાર્ટીએ પોતાના ધારાસભ્યોને મુંબઇમાં જ રોકાવવાનો નિર્ણય લીધો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube