મુંબઈ: મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના સરકારના ગઠનની કોશિશોમાં મોટો પેચ ફસાયેલો જોવા મળી રહ્યો છે. શિવસેનાની વિધાયક દળની બેઠકમાં નિર્ણય લેવાયો છે કે મહારાષ્ટ્રમાં  2.5-2.5 વર્ષના ફોર્મ્યુલા પર જ સરકાર બનશે. શનિવારે મળેલી આ બેઠકમાં નિર્ણય લેવાયો કે ગઠબંધન સરકારમાં ભાજપ-શિવસેનાના સીએમ અઢી અઢી વર્ષ રહેશે. બેઠકમાં એ પણ નિર્ણય લેવાયો કે જ્યાં સુધી અમિત શાહ કે દેવેન્દ્ર ફડણવીસ લેખિતમાં નહીં આપે ત્યાં સુધી સરકાર નહીં બને.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હરિયાણામાં માત્ર એક જ ડેપ્યુટી CM રહેશે, ગોપાલ કાંડાનું સમર્થન નહીં લઈએ: રવિશંકર પ્રસાદ


શિવસેનાના વિધાયક પ્રતાસ સરનાઈકે પણ શિવસેનાના મુખ્યમંત્રી બનાવવાની માગણી કરી. સરનાઈકે કહ્યું કે બધા શિવસૈનિકો શિવસેનાના જ મુખ્યમંત્રી બનતા જોવા માંગે છે. અમે આદિત્ય ઠાકરેને મુખ્યમંત્રી તરીકે જોવા માંગીએ છીએ. આદિત્ય ઠાકરે વરલી બેઠક પરથી જંગી બહુમતીથી ચૂંટાઈ આવ્યાં છે. વરલી વિધાનસભા ચૂંટણી જીતનારા આદિત્ય ઠાકરેના મુખ્યમંત્રી પદના સમર્થનમાં વરલીમાં પોસ્ટરો પણ લાગ્યા છે.  


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...