નવી દિલ્હીઃ મહારાષ્ટ્રના રાજકીય સંકટ પર સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચે મોટો ચુકાદો આપ્યો છે. ઉદ્ધવ જૂથની અરજીને નકારતા સર્વોચ્ચ અદાલતે ચૂંટણી પંચની કાર્યવાહી પર પ્રતિબંધ લગાવવાનો ઇનકાર કરી દીધો છે. આ નિર્ણયથી એકનાથ શિંદે જૂથને રાહત મળી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુપ્રીમ કોર્ટે મંગળવારે ચૂંટણી પંચને તે નિર્ણય લેવાની મંજૂરી આપી દીધી છે કે શિવસેનાનું અસલી જૂથ ક્યું છે અને કોને શિવસેનાનું ચૂંટણી ચિન્હ આપવામાં આવે. સુપ્રીમ કોર્ટે મોટો નિર્ણય લેતા આ મામલામાં કાર્યવાહી પર પ્રતિબંધ લગાવવાથી ઇનકાર કરી દીધો અને સાથે ઉદ્ધવ ઠાકરે જૂથની અરજીને નકારી દીધી છે. 


નોંધનીય છે કે આ મામલામાં બીજા જૂથનું નેતૃત્વ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે કરી રહ્યાં છે. શિંદે જૂથનો તર્ક છે કે શિવસેનાના મોટાભાગના ધારાસભ્યો અને સાંસદ તેમના જૂથમાં છે. તેવામાં શિવસેનાનું ચૂંટણી ચિન્હ તેને આપવું જોઈએ. 


આ પણ વાંચોઃ હૈદરાબાદમાં બુરખો પહેરીને આવેલી મહિલાઓએ મૂર્તિમાં કરી તોડફોડ, પંડાલમાં આગ લગાવી


ઉલ્લેખનીય છે કે આ પહેલા શિવસેના સુપ્રીમો અને પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે તેમને વિશ્વાસ છે કે તેમની ટીમ વિદ્રોહી વિરુદ્ધ કાયદાકીય લડાઈમાં વિજયી થશે. શિંદેએ જૂન મહિનામાં ભાજપની મદદથી ઉદ્ધવ ઠાકરેની મહાવિકાસ અઘાડી સરકાર પાડી દીધી હતી અને 30 જૂને મુખ્યમંત્રી પદે શપથ લીધા હતા. 


આ પણ વાંચોઃ નોટબંધીના 6 વર્ષ બાદ સુપ્રીમ કોર્ટ કરશે સુનાવણી, 5 જજોની બેંચની રચના


23 ઓગસ્ટે સુપ્રીમ કોર્ટે ઉદ્ધવ ઠાકરે અને શિંદેના નેતૃત્વવાળા જૂથો દ્વારા દાખલ અરજીઓને પાંચ ન્યાયાધીશોની પીઠની પાસે મોકલી હતી, જેમાં પક્ષપલટો, વિલય અને અયોગ્યતા સંબંધિત ઘણા બંધારણીય પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા. ઠાકરેના વકીલોએ પહેલા કહ્યું હતું કે શિંદે પ્રત્યે વફાદાર પાર્ટી ધારાસભ્યો કોઈ અન્ય રાજકીય દળની સાથે વિલય કરી બંધારણની 10મી અનુસૂચિ હેઠળ અયોગ્યતાથી બચી શકે છે. જવાબમાં શિંદે સમૂહે તર્ક આપ્યો કે પક્ષપલટા વિરોધી કાયદો તે નેતા માટે હથિયાર ન હોઈ શકે જેણે પોતાની પાર્ટીનો વિશ્વાસ ગુમાવી દીધો હોય. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube