ઉત્તર પ્રદેશના અમરોહાથી લગ્નનો એક એવો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે જાણીને દંગ રહી જશો. એક છોકરીના માત્ર 12 દિવસની અંદર લગ્ન થઈ ગયા. છોકરીએ રાજીખુશીથી લગ્ન કરી પણ લીધા પરંતુ સુહાગરાતે એવો જબરો કાંડ થઈ ગયો કે વાત ના પૂછો. તાબડતોબ ડિવોર્સ પણ થઈ ગયા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મીડિયા રિપોર્ટ મુજબ અમરોહાની યુવતીને દુલ્હનની જેમ સજી ધજીને ફોટોશૂટ  કરાવવાનો એવો શોખ ચડ્યો કે તેણે લગ્નને ખેલ સમજી લીધા. યુવતીના કહેવા પર પરિવારે સારો છોકરો શોધ્યો અને પોતાની યથાશક્તિ પ્રમાણે સારી રીતે લગ્ન પણ કર્યા. યુવતી પણ રાજીની રેડ થઈને લગ્નથી લઈને વિદાય સુધીની ઢગલો તસવીરો પડાવતી રહી પરંતુ લગ્ન પત્યા પછી સુહાગરાતના સમયે તેણે કઈક એવું કહી દીધુ કે વરરાજાના હોશ ઉડી ગયા. 


રિપોર્ટ મુજબ યુવતીએ સુહાગરાત પર વરરાજાને કહી દીધુ કે તેણે તો ફક્ત પોતાની જાતને દુલ્હન તરીકે જોવા માટે જ લગ્ન કર્યા હતા. એવું કહેવાય છે કે છોકરીને ફોટા પડાવવાનું એવું જૂનુન ચડ્યું કે તેના ઘરવાળા પણ છોકરીના આવા મનસૂબા જાણી શક્યા નહીં અને છોકરીની જીદ પર ઉતાવળમાં 12 દિવસ પહેલા શહેરના જ એક યુવક સાથે લગ્ન કરાવી દીધા. છોકરીના ઘરવાળાએ તો ઢગલો ઘરવખરી અને બીજો સામાન પણ આપ્યો હતો અને સાથે સાથે ભવ્ય જમણવાર પણ કર્યો હતો. પરંતુ પુત્રીના દિમાગમાં તો કઈક બીજી જ રમત રમાઈ રહી હતી. જેનાથી પિતા અને આખો પરિવાર અજાણ હતા. છોકરીના માથે પોતાની જાતને દુલ્હનના વેશમાં જોવાનું જૂનુન એવું સવાર હતું કે તેને બીજું કઈ દેખાતું નહતું. પોતાનો આ શોખ પૂરો કરવા માટે તેણે પિતાને લગ્ન કરાવવાની જીદ કરી હતી. 


સુહાગરાતે કર્યો કાંડ
વિદાય બાદ આ દુલ્હન સાસરે પહોંચી તો તેનો શોખ તો પૂરો થઈ ચૂક્યો હતો. લગ્ન બાદ પહેલી જ રાતે પતિએ જ્યારે ઘૂંઘટ ઉઠાવવાની કોશિશ કરી તો દુલ્હને ચોખ્ખા શબ્દોમાં કહી દીધુ કે તેનો પ્રેમ તો કોઈ બીજો છે. તેણે તો લગ્ન ફક્ત પોતાની જાતને દુલ્હનના વેશમાં જોવા માટે અને ફોટોશૂટ કરાવવા માટે  કરી હતી. સુહાગરાતે દુલ્હનના મોઢે આવા શબ્દો સાંભળીને દુલ્હેરાજાના તો પગ નીચેથી જમીન સરકી ગઈ. પતિ પત્ની વચ્ચે વિવાદ એટલો વધી ગયો કે ઘરવાળા પણ રૂમમાં પહોંચી ગયા. દુલ્હને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધુ કે તેને તરત ડિવોર્સ જોઈએ છે. પોતાની સાથે આવું પ્રપંચ થતા જોઈને દુલ્હેરાજાના હોશ ઉડી ગયા. દુલ્હન કશું માનવા તૈયાર ન હતી આથી આખરે પંચાયત બોલાવવી પડી.


થઈ ગયા ડિવોર્સ
પંચાયતનું પરિણામ એ આવ્યું કે ધામધૂમથી થયેલા નિકાહ 48 કલાકમાં તૂટી ગયા. દહેજના સામાન સાથે જ દુલ્હનને તેના પિયરે મોકલી દેવાઈ. બાદમાં કાઝી સાથે સલાહ બાદ બંનેના ડિવોર્સ થઈ ગયા. આ મામલે કોઈ પણ પક્ષે પોલીસમાં ફરિયાદ નોંધાવી નથી. જ્યારે શરીયત મુજબ મેહર અદા કર્યા બાદ બદનામી અને સંબંધીઓના સવાલોથી પરેશાન દુલ્હેરાજા બીચારા શહેર છોડીને દિલ્હી પોતાના કોઈ સંબંધીના ઘરે જતા રહ્યા.