દિલ્હી: 'શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર' ટ્રસ્ટની પહેલી બેઠકમાં મહંત નૃત્ય ગોપાલ દાસને ટ્રસ્ટના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. તો બીજી તરફ વિહિપ નેતા ચંપત રાયને ટ્રસ્ટના મહામંત્રી બનાવવામાં આવ્યા છે. તો બીજી તરફ નૃપેન્દ્ર મિશ્રને નિર્માણ સમિતિના ચેરમેન અને ગોવિંદ દેવ ગિરિને ટ્રસ્ટના કોષાધ્યક્ષ નિમવામાં આવ્યા છે. તમને જણાવી દઇએ કે નૃપેંદ્ર મિશ્ર વડાપ્રધાનમંત્રી નરેંદ્ર મોદીના પૂર્વ મુખ્ય સચિવ રહી ચૂક્યા છે. 


'શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર'ના અધ્યક્ષ બનાવવામાં આવતાં પહેલી પ્રતિક્રિયા આપતાં નૃત્યગોપાલ દાસે કહ્યું કે રામ મંદિરનું મોડલ એ જ રહેશે, પરંતુ તેને ઉંચું અને પહોળુ કરવા માટે ફોર્મેટમાં થોડો ફેરફાર કરવામાં આવશે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube