નવી દિલ્હી : ઝડપથી વર્ષનું બીજુ સુર્યગ્રહણ ચાલુ થવાનું છે. આ ગ્રહણ આજે રાત્રે 10.25 મિનિટથી માંડીને સવારે 03 જુલાઇ 03.20 વાગ્યા સુધી ચાલુ રહેશે. આ ગ્રહણ 04 કલાક 55 મિનિટ સુધી ચાલુ રહેવાનું છે. આ વખતે આર્જેન્ટીના અને ચીલી જેવા દેશોમાં જ પુર્ણ સુર્યગ્રહણ જોવા મળી શકશે. જ્યારે ઉરુગ્વે, પરાગ્વે, ઇક્વાડોર અને બ્રાઝીલનાં વિસ્તારમાં લોકો આંશિક સુર્યગ્રહ જ જોઇ શકશે. જ્યારે ભારતમાં રાત્રી હોવાનાં કારણે સુર્ય ગ્રહણ જોઇ શકાશે નહી. અત્રે ઉલ્લેખનીય છે કે, સુર્યનો પ્રકાશ જ્યારે ચંદ્રમાના કારણે પૃથ્વીસુધી નથી પહોંચી શકતો તો તેને સુર્યગ્રહણ કહેવામાં આવે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીએમ મોદીની આકરી ટીકા બાદ આકાશ વિજયવર્ગીયની હકાલપટ્ટી શક્ય: સુત્ર
આજે 2 જુલાઇએ સુર્ય ગ્રહણ ચાલુ થવાનું છે જ્યારે 16 જુલાઇએ ચંદ્રગ્રહણ ચાલુ થવાનું છે. જ્યોતિષ અનુસાર બંન્ને મહત્વપુર્ણ સોરમંડલીય ઘટનાના કારણે જુલાઇનો મહિનો પ્રાકૃતીક દુર્ઘટનાઓથી ભરેલો રહેશે. આ મહિને ભુકંપ, સુનામી, વધારે વરસાદ અને દુષ્કાળ ઉપરાંત પૃથ્વી પર સુક્ષ્મ પરિવર્તન પણ જોવા મળી શકે છે. એટલું જ નહી ધરતીના ગુરુત્વીય બળમાં હલચલની આશંકા સેટેલાઇટ્સને પણ પ્રભાવિત કરશે. 


જોયા અખ્તર અને અનુપમ ખેર બન્યા નવી ઓસ્કાર એકેડમીનાં સભ્ય, 842 કલાકરોનો સમાવેશ
આર્થિક રીતે પછાત વર્ગને મમતા સરકાર દ્વારા 10 ટકા અનામત, ખરડો પાસ
જ્યોતિષાનુસાર  આ પ્રભાવ પર જીવ અને જડ દરેક પર પડે છે. આ કારણે ગ્રહણમાં શારીરિક માનસિક પરિશ્રમથી બચવાની સલાહ આપવામાં આવે છે. અગ્નિકર્મ તથા મશીનરીના પ્રયોગને ત્યજ્ય માનવામાં આવે છે. સનાતની પરમ્પરામાં દેવદર્શન અને યજ્ઞાદિ કર્મ નિષેધ રાખવામાં આવે છે. સહજ મુદ્રામાં ભજન- કિર્તન અને જપના માધ્યમથી ઇશ્વરને યાદ કરવામાં આવે છે. 
કર્ણાટક: 2 ધારાસભ્યોનાં રાજીનામા બાદ સિદ્ધારમૈયાએ કહ્યું સરકારને કોઇ જોખમ નહી
જ્યોતિષીઓની ભવિષ્યવાણી અનુસાર આ ગ્રહણોના પ્રભાવથી વિશ્વમાં ભીષણ દુર્ઘટનાઓ થઇ શકે છે. ઉદાહરણ તરીકે અતિવૃષ્ટી, તોફાન, જ્વાળામુખી વિસ્ફોટ, ગ્લેશિયર પિગળવા, પુર અને કીટ સુપનો પ્રકોપ વધી શકે છે. એટલું જ નહી દેશમાં સંક્રાત્મક રોગ ફેલાવાનો ખતરો વધી શકે છે. માનવ નિર્મિત સેટેલાઇટ્સ સુધી અનિયંત્રીત હોઇ શકે છે. એટલે સુધી કે વિમાનનાં સંચાલનમાં પણ આવવાથી ઇન્કાર કરી શકાય નહી. 


બ્રિજ પરથી ગાયબ થઇ રહી છે ગાડીઓ, VIDEO જોઇને મગજ બેર મારી જશે
ભારતના અનેક મહત્વપુર્ણ ભાગ ભુકંપ પ્રત્યે અતિસંવેદનશીલ છે. 2001માં કચ્છનું ભુકંપ ગ્રહણના પ્રભાવથી જ આવ્યો હતો. તેના કારણે ભારતીય મહાદ્વીપનો ઘણો મોટો ભાગ હલી ગયો હતો. પૃથ્વી પોતાના પરિક્રમા પથ પર સારી રીતે ફરે છે તેના માટે ઓટો કરેક્શનની પ્રક્રિયાથી પસાર થાય છે. જો કે આ સુધાર પ્રતિક્રિયા કોઇમાં રકમમાં બનેલ સુર્ય અને ચંદ્ર ગ્રહણના પ્રભાવથી થઇ શકે છે. 


સરકારે સ્વિકાર્યું હોટલ-મલ્ટીપ્લેક્સમાં સામાન્ય નાગરિકોને લુંટવામાં આવે છે
જુલાઇ મહિનામાં ગ્રહણની સ્થિતી બે વખત થઇ રહી છે. ગ્રહણમાં ગુરુત્વીય પરિવર્તનની આશંકા વધી જાય છે. 31 જાન્યુઆરી 2018ના રોજ ખડગ્રાસ ગ્રહણનાં દિવસે જ ચીનમાં ભુકંપ આવ્યો હતો. સૌભાગ્યથી તે સમયે કોઇ મોટુ નુકસાન થયું નહોતું. આજે 2 જુલાઇએ થનારા સુર્ય ગ્રહણ ભારતને નહી જોવા મળે. જો કે ગુરુત્વીય પ્રભાવની દ્રષ્ટીએ ભારતીય મહાદ્વીપ અને એશિયામાં પણ હલચલ થવાની આશંકા છે. એવી સ્થિતી નિર્મિત જુલાઇ મહિનામાં ક્યાંય પણ હોઇ શકે છે. કારણ 16 જુલાઇએ ચંદ્રગ્રહણ પણ થઇ રહ્યું છે. તેઓ ભારતમાં માન્ય અને દ્રશ્ય છે. 


આવુ જ એક ઉદાહરણ 26 ડિસેમ્બર, 2004નાં રોજ પણ જોવા મળ્યું હતું. જ્યારે ભારતના દક્ષિણ રાજ્યોમાં સુનામીના કારણે જબરદસ્ત તબાહી મચાવી હતી. 9.1ની તિવ્રતાથી આવેલા આ ભુકંપમાં પ્રાકૃતિક દુર્ઘટનાને કારણે લગભગ 2.30 હજાર લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. આ સુનામીથી ઇન્ડોનેશિયા, ભારત, શ્રીલંકા સહિત 14 દેશ પ્રભાવિત થયા હતા.