નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીરમાં ગૃહ મંત્રાલય તરફથી સુરક્ષાદળોની વધારાની 100 ટુકડીઓ તહેનાત કરવાના નિર્ણય બાદ આતંકીઓના હોશ ઉડી ગયા છે. સૂત્રોના હવાલે જાણવા મળ્યું છે કે પાકિસ્તાનમાં બેઠેલા આતંકીઓ જમ્મુ અને કાશ્મીરમાં મોટો આત્મઘાતી હુમલો કરવાની ફિરાકમાં છે. સૂત્રોના જણાવ્યાં મુજબ પાકિસ્તાની આતંકીઓ પાકિસ્તાનના પેશાવર અને મુઝફ્ફરાબાદમાં હાજર છે. આ આતંકીઓ સરહદ પર તહેનાત ભારતીય સેનાના જવાનો પર બેટ હુમલો પણ કરી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમરનાથ યાત્રા 14 દિવસ વહેલી પૂરી, 3.43 લાખ ભક્તોએ કર્યા દર્શન, હવે પાછા ફરી રહ્યાં છે શ્રદ્ધાળુઓ


સૂત્રોના હવાલે આવેલી માહિતી મુજબ જમ્મુ અને કાશ્મીરમાં હાલ ચાલી રહેલી સ્થિતિને જોતા આતંકીઓ હુમલો કરવાની ફિરાકમાં છે. માહિતી મળી છે કે સરહદ પાર આતંકી સંગઠનોની ગતિવિધિઓ વધી ગઈ છે. આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદ અને લશ્કર એ તૈયબાની ગતિવિધિઓ પણ તેજ થઈ ગઈ છે. આ આતંકીઓ જમ્મુ અને કાશ્મીરમાં ઘૂસણખોરી કરીને આત્મઘાતી હુમલો કરવાની ફિરાકમાં છે. તેઓ રાજ્યના સોપોરમાં સુરક્ષાદળો પર IED હુમલો કરવાનું ષડયંત્ર રચી રહ્યાં છે. આ સાથે જ દક્ષિણ કાશ્મીર અને શ્રીનગરમાં પણ આ આતંકીઓ IED હુમલો કરવાનું નાપાક ષડયંત્ર રચી રહ્યાં છે. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...