નવી દિલ્હી: પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની એસપીજી સુરક્ષા હટાવાઇ છે. ગૃહ મંત્રાલયની તરફથી આ પગલું લેવામાં આવ્યું છે. જો કે, હવે તેમને Z પ્લસ સુરક્ષા મળી છે. ગૃહ મંત્રાલયની તરફથી તેના પર કહેવામાં આવ્યું છે કે, આ સમય સમય પર થનારી સામાન્ય પ્રક્રિયા છે. આ સુરક્ષા એજન્સિઓના પ્રોફેશનલ આકારણી અને ખતરા પર આધારિત થનારી પ્રક્રિયા છે. ગૃહમ મંત્રાલય તરફથી વધુમાં કહેવામાં આઆવ્યું કે, પૂર્વ પીએમ મનમોહન સિંહની ઝેડ પ્લસ સુરક્ષા ચાલુ રહેશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- પાક. મીડિયાનો હાથો બન્યા રાહુલ ગાંધી? નિવેદનનો થઇ રહ્યો છે ઉપયોગ


તમને જણાવી દઇએ કે, કેન્દ્ર સરકારે તાજેતરમાં જ કેટલાક સાંસદોની સુરક્ષા વ્યવસ્થા ઘટાડવાનો નિર્ણય કર્યો હતો. સરકારના આ નિર્ણયથી 1300થી વધારે કમાન્ડો આ ડ્યૂટીથી કાર્યમુક્ત થયા છે. ગૃહ મંત્રાલયે 350 વીઆઇપી લોકોની સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી.


જુઓ Live TV:-


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...