શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરના બડગામમાં આતંકીઓએ ગુરુવારે કાશ્મીરી પંડિત રાહુલ ભટ્ટને ગોળીથી વિંધ્યા. સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું. આજે તેમના અંતિમ સંસ્કાર કરવામાંઆવ્યા. આજે પણ એક આતંકી ઘટના ઘટી. પુલવામામાં આતંકીઓએ ઘરમાં ઘૂસીને એસપીઓને ગોળી મારી. તેમને તરત સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યા પણ તેઓ શહીદ થઈ ગયા. કાશ્મીરી પંડિત રાહુલ ભટ્ટની હત્યાના વિરોધમાં જમ્મુમાં ભાજપે વિરોધ પ્રદર્શન કર્યું. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube