શ્રીનગરઃ Srinagar Encounter: જમ્મુ-કાશ્મીરના શ્રીનગરના હૈદરપુરામાં સુરક્ષાદળોને આજે મોટી સફળતા મળી છે. સુરક્ષાદળોએ અથડામણમાં એક આતંકવાદીને ઠાર કર્યો છે. કાશ્મીર ઝોન પોલીસે ટ્વીટ કરીને કહ્યુ કે, અજાણ્યા આતંકવાદીને અથડામણમાં ઠાર કરવામાં આવ્યો છે. હજુ ઓપરેશન ચાલી રહ્યું છે. આ પહેલા ગુરૂવારે સુરક્ષાદળોએ ત્રણ આતંકીઓને મોતને ઘાટ ઉતાર્યા હતા. આ વર્ષે અત્યાર સુધી 130થી વધુ આતંકીઓને સુરક્ષાદળોએ ઠાર કર્યા છે. ઘાટીમાં 38 વિદેશીઓ સહિત 150-200 આતંકી હજુ પણ સક્રિય છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube