ઠાકુરનગર : વડાપ્રધાન મોદીએ ઉત્તરી 24 પરગણા જિલ્લાના ઠાકુરનગરમાં પોતાની રેલીમાં ભાગદોડ જેવી સ્થિતી ઉત્પન્ન થઇ ગયા બાદ પોતાનું ભાષણ અધવચ્ચે જ અટકાવી દીધું. એવી સ્થિતી ઉત્પન્ન થવાના કારણે અનેક લોગો ઘાયલ થઇ ગયા. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, અનેક મહિલાઓ અને બાળકો ઘાયલ થઇ ગયા. જ્યારે મોદી મટુઆ સમુદાયની રેલીને સંબોધિત કરી રહ્યા હતા ત્યારે આયોજન સ્થળની બહાર ઉભેલા તેમના સેંકડો સમર્થકોએ રેલી ગ્રાઉન્ડની આંતરિક હિસ્સામાં આવવાનો પ્રયાસ કર્યો હતો જેના પગલે ભાગદોડ જેવી સ્થિતી પેદા થઇ ગઇ હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડોનાલ્ડ ટ્રમ્પે તોડી સંધિ, હવે પરમાણુ મિસાઇલોથી ડરાવશે અમેરિકા


હું ડંકાની ચોટ પર કહુ છું કે તે જ સ્થળે ભવ્ય રામ મંદિર બનવું જોઇએ: અમિત શાહ

આ હોબાળા બાદ મોદીએ અચાનક તેમ કહેતા પોતાનું ભાષણ બંધ કરી દીધું કે તેમને બીજી રેલીમાં જવું પડ્યું. પોલીસ અધિકારીઓનાં અનુસાર ભાગદોડ જેવી સ્થિતી દરમિયાન અનેક મહિલાઓ અને બાળકો બેહોશ થઇ ગયા. તેમણે પ્રાથમિક સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. આ ઘટનાથી મોદીએ ગત્ત વર્ષની 16 જુલાઇની રેલી યાદ આવે છે જ્યારે પશ્ચિમ મિદનાપુર જિલ્લામાં મંચ પર પડી ગયા હતા અને અનેક લોકો ઘાયલ થઇ ગયા હતા.