નવી દિલ્હી : લોકસભા ચૂંટણી 2019 (LokSabha Elections 2019) શરૂઆતી વલણ અને પરિણામો (LokSabha Election Results 2019) આવવા લાગ્યા છે. લોકસભા ચૂંટણીમાં બીજી વખત ભાજપની મોદી લહેરની સાથે પ્રચંડ જીતની સાથે કેન્દ્રની સત્તા પર બેસવા જઇ રહી છે. આ બધા વચ્ચે સોશિયલ મીડિયા પર ક્રિકેટથી રાજનેતા બનેલા નવજોત સિંહ સિદ્ધુનું એક નિવેદન ભારે વાઇરલ થઇ રહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દેશના 23 રાજ્યોમાં કોંગ્રેસના સૂપડા સાફ, ક્યાંક 1 તો ક્યાંક શૂન્ય

કોંગ્રેસના સ્ટાર પ્રચાર અને પંજાબ સરકારના મંત્રી નવજોતસિંહ સિદ્ધુએ ગત્ત મહિને રાયબરેલી સંસદીય ક્ષેત્રમાં કોંગ્રેસ ઉમેદવાર સોનિયા ગાંધી માટે પ્રચાર દરમિયાન 28 એપ્રીલે કહ્યું હતું  કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અમેઠીથી લોકસભા ચૂંટણી હારી જાય છે તે તેઓ રાજનીતિ ચોડી દેશે. અમેઠી લોકસભા સીટ પર ભાજપ ઉમેદવાર સ્મૃતિ ઇરાની 45,453 મતથી આગળ ચાલી રહ્યું છે. જો કે આ સીટ પર હાલ ચૂંટણી પરિણામ સામે નથી આવ્યું. રાહુલ ગાંધીને અત્યાર સુધીની મતગતણતરીમાં 2,94,290 મત મળ્યા છે. બીજી તરફ સ્મૃતિ ઇરાનીને અત્યાર સુધી 3,39,743 મત મળી શકે છે. લોકસભા ચૂંટણી 2019ના ચૂંટણી પરિણામોએ ભાજપને એકવાર ફરીથી સત્તાની ચાવી સોંપાઇ ચુકી છે. 


સ્મૃતિ ઇરાનીઃ 'તુલસી વહુ'થી લઈને ગાંધી પરિવારના ગઢને ધ્વસ્ત કરવા સુધી


1100 કરોડની સંપત્તિ ધરાવતા આ ઉમેદવારનો મળ્યા માત્ર 1100 મત, જાણો તેમના વિશે...


લોકસભા ચૂંટણી 2019નાં ચૂંટણી પરિણામો બાદ ભાજપને એકવાર ફરીથી સત્તા ચાવી સોંપવાની તૈયારી કરી દીધી છે. હવે આરોપ પ્રત્યારોપનો સમયગાળો ચાલુ થઇ ચુક્યો છે. પંજાબમાં કોંગ્રેસે સૌથી સારુ પ્રદર્શન કર્યું છે. 13માંથી 9 સીટો પર કોંગ્રેસ જીત તરફ આગળ વધી રહ્યું છે. બે સીટો પર ભાજપ અને 2 પર અકાલી દળનાં ઉમેદવાર જીત પ્રાપ્ત કરી રહ્યા છે. પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહે પંજાબમાં 13માંથી 13 સીટો પર જીતનો દાવો કર્યો હતો. હવે આ પ્રદર્શન અને પાર્ટી હાર પર તેમણે અનેક કારણ ગણાવ્યા હતા. કેપ્ટને મુખ્ય રીતે સિદ્ધુ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે, દેશની જનતા તે ક્યારે પણ સાખી શકે નહી કે દેશનો નેતા પાકિસ્તાની આર્મી ચીફને ગળે મળી આવે.