નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરમાં ભાજપની સાથે ટુટવા અને સરકારથી અલગ થયા બાદ સતત પીડીપી નેતાઓનાં વિરોધાભાસી નિવેદનો સામે આવ્યા છે. શનિવારે પણ પીડીપીના એક નેતાએ ગૌહત્યાના નામ મુસલમાનોની હત્યા બંધ કરવાના પરિણામો સારા નહી થાય. પીડીપી નેતા મુજફ્ફર હુસૈન બેગે ખીણમાં એક જનસભા સંબોધિત કરતા કહ્યું કે, ગાય અને ભેંસના નામે મુસલમાનોની હત્યા બંધ કરી દેવી જોઇએ નહી તો પરિણામો સારા નહી આવે. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીડીપી નેતા મુજફ્ફર હુસૈન બેગે ખીણમાં એક જનસભાને સંબોધિત કરતા કહ્યું કે, ગાય અને ભેંસના નામે મુસલમાનોની તક્લ બંધ કરે નહી તો સારુ પરિણામ નહી આવે. 11947માં એક વહેંચણી પહેલા જ થઇ ચુકી છે. બીજી તરફ તેમને પહેલા આ સભામાં રાજ્યની પૂર્વ મુખ્યમંત્રી મહેબુબા મુફ્તીએ પોતાના ભાષણમાં કહ્યું કે, પીડીપીએ રમઝાન દરમિયાન સંઘર્ષ વિરામની પહેલ કરી.



હું હુર્રિયત પ્રત્યે સકારાત્મક દ્રષ્ટિકોણ દેખાડવા માટે કેન્દ્રને અપીલ કરૂ છું અને વાતચીત ચાલુ કરવા માટે તેમને બીજીવાર મેજ પર લાવવાની માંગ કરુ છું.જમ્મુ અને કાશ્મીરમાં હાલ રાજ્યપાલ શાસન ચાલી રહ્યું છે તે યોગ્ય નથી. ફરી એકવાર બંન્ને પક્ષોએ સકારાત્મક વિચાર કરીને બંન્ને વચ્ચે બેઠક થાય તેવું આયોજન કરવું જોઇએ.