મુંબઈ: મહારાષ્ટ્રમાં નવાબ મલિક અને સમીર વાનખેડે વચ્ચે તકરાર વધતી જાય છે. હવે આજે નવાબ મલિકે સમીર વાનખેડેને પાછા સમીર દાઉદ વાનખેડે સંબોધન કરીને આરોપ લગાવ્યો કે સમીર વાનખેડેએ આર્યન ખાનનું અપહરણ કર્યું હતું અને ખંડણી માંગી હતી. તેમણે દાવો કર્યો કે આ મામલાની તપાસ એક ખાસ એસઆઈટી કરશે જેને મહારાષ્ટ્ર સરકારે બનાવી છે અને કેન્દ્ર સરકારની એસઆઈટી પણ તેમા સામેલ થશે. 


નવાબ મલિકે ટ્વીટ કરીને કહ્યું કે મે એસઆઈટી બનાવવાની માંગણી કરી હતી, પરંતુ હવે બે એસઆઈટી બનાવવામાં આવી છે. એક ટીમ કેન્દ્ર સરકાર તરફથી બનાવવામાં આવી છે. જ્યારે બીજી રાજ્ય સરકારે બનાવી છે. હવે જોવાનું એ રહેશે કે કોણ સૌથી પહેલા આ મામલાની જડ સુધી જઈને અસલિયત સામે લાવે છે અને તેને તથા તેની નાપાક આર્મીનો પર્દાફાશ કરે છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube