Subhash Chandra Address: રાજ્યસભાના સાંસદ ડૉ. સુભાષ ચંદ્રાએ શુક્રવારે હૈદરાબાદ IIITના સેમિનારમાં વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા હતો. સેમિનારમાં તેમણે વિદ્યાર્થીઓ સાથે ટેકનોલોજી, મહાત્મા ગાંધી અને દેશના ઈતિહાસ પર વાર્તાલાપ કર્યો હતો. તેમણે કહ્યું કે મહાત્મા ગાંધીએ ગામડાઓને મજબૂત કરવાનું કામ કર્યું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેમણે કહ્યું કે ટેક્નોલોજીની મદદથી નવા આઈડિયા બનાવી શકાય છે. આજે ડિલિવરી માટે ડ્રોનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ઉંમર ઘટાડવાની તકનીકો પણ ઉપલબ્ધ બની રહી છે. ટેક્નોલોજીના ફાયદા અને ગેરફાયદા બંને છે. રાજ્યસભા સાંસદ સુભાષ ચંદ્રાએ જણાવ્યું કે, આ કારણથી જોઈએ તો ઓટીટી, થિયેટર ભવિષ્યમાં સાથે સાથે ચાલશે. OTT માં વધારાની સુવિધા સામગ્રીને નિયંત્રિત કરવાની છે. એક સમય હતો જ્યારે લોકો VCRમાં ફિલ્મો જોતા હતા. હવે આપણે OTT પર લાઇવને કંટ્રોલ કરીને મૂવી જોઈ રહ્યા છીએ.


ડોક્ટર સુભાષ ચંદ્રાએ જણાવ્યું કે મનુષ્ય ત્રણ અવસ્થામાં રહે છે. એક જાગવું, બીજી ઉંઘવું અને સપના જોવા, ત્રીજી અવસ્થા ઘોર નિંદામાં સૂવું. આવો આપણે બધા મળીને એક સાથે કામ કરીએ અને નવા આઈડિયા પૈદા કરીએ. 


રાજ્યસભાના સાંસદ સુભાષ ચંદ્રાએ OTTના ભવિષ્ય વિશે જણાવ્યુંકે તેને ઓવર ધ ટોપ કહેવામાં આવે છે. બદલાતા વાતાવરણ છતાં ટીવી ચેનલોના મૂળિયા મજબૂત થયા છે અને તેમની સામગ્રી પહેલા કરતા વધુ જોવા મળે છે. એટલે કે તે વિતરણનું નવું માધ્યમ છે. તેથી ઓટીટી આવ્યા પછી જૂની વસ્તુઓનું શું થશે તેવા પ્રશ્નના જવાબમાં એમ કહી શકાય કે ટેક્નોલોજીના કારણે ચોક્કસ રૂપમાં બદલાવ આવે છે પરંતુ વસ્તુઓ સમાંતર ચાલતી રહેશે.


તેમણે કહ્યું કે ચાર અઠવાડિયા પહેલા મેં દુબઈમાં ટેક્નોલોજી કેવી રીતે બદલાઈ રહી છે તેનું ઉદાહરણ જોયું. ઈઝરાયેલની એક કંપનીનું પ્રેઝન્ટેશન જોયું જેમાં તે મનુષ્યની ઉંમરને રોકવા માટે ઉપયોગ કરી રહી છે. એટલે કે, તે વૃદ્ધ થશે નહીં. પ્રયોગમાં પૃથ્વીની નીચે એવી સ્થિતિ વિકસાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જેથી આવી શક્યતા ઊભી થઈ શકે. ડૉ. સુભાષ ચંદ્રાએ કહ્યું કે મેં મારા પુસ્તકમાં પણ લખ્યું છે કે જો તે સમયે ઈન્દિરા ગાંધી ભારતના વડાપ્રધાન હોત તો ઝી ટીવી ક્યારેય શરૂ ન થાત. જો ઝી ટીવી શરૂ ન થયું હોત તો આજે ભારતમાં લગભગ 563 ટીવી ચેનલો છે, જેમાં લગભગ 1.2 કરોડ લોકો કામ કરે છે. આ બધું થઈ શક્યું ન હોત.


ટેક્નોલોજીના સંદર્ભમાં હું એક વાત કહેવા માંગુ છું કે જે રીતે સારા અને ખરાબ સાથે ચાલે છે, તેવી જ રીતે સારા અને ખરાબ કામ માટે પણ ટેક્નોલોજીનો ઉપયોગ કરી શકાય છે. તેથી, જ્યારે ટેક્નોલોજીનો ઉપયોગ સારા માટે કરવામાં આવશે, ત્યારે તેનો ઉપયોગ અનિષ્ટ માટે પણ થઈ શકે છે.


રાજ્યસભા સાંસદ સુભાષ ચંદ્રાએ જણાવ્યું હતું કે, ઈતિહાસમાં ઘણી બધી એવી ચીજો છે જેનો વાસ્તવિકતા સાથે કોઈ સંબંધ નથી. તેનું એક ઉદાહરણ છે કે જેમ કહેવાય છે કે મહારાણા પ્રતાપ મુઘલો સાથેના યુદ્ધમાં હાર્યા હતા. પરંતુ તે સાચું નથી. જ્યારે સંશોધન કરવામાં આવ્યું તો જાણવા મળ્યું કે મહારાણા પ્રતાપે મુઘલોને હરાવ્યા હતા. તેનો ઐતિહાસિક પુરાવો જોધપુર યુનિવર્સિટી અને તેના પર સંશોધન કરી રહેલા અન્ય લોકોને ખબર છે.


તેમણે જણાવ્યું હતું કે મેં એક જગ્યાએ વાંચ્યું કે આંબેડકરે એક વખત બંધારણ સભામાં કહ્યું હતું કે અમે લોકોને કેવા પ્રકારનું બંધારણ આપી રહ્યા છીએ. અમે આ પ્રકારના સેન્ટ્રલ નિયમ માટે આઝાદીની લડાઈ નહોતી લડી. રાજ્યસભા સાંસદ સુભાષ ચંદ્રાએ જણાવ્યું હતું કે 1990ના દશકામાં જ્યારે અમે ZEE TV શરૂ કર્યું ત્યારથી ટેક્નોલોજીમાં આમીલચીલ પરિવર્તન થઈ ચૂક્યા છે.


ડોક્ટર સુભાષ ચંદ્રાએ જણાવ્યું કે, ટેક્નોલોજી સાથે મનુષ્યનો ઉંડો સંબંધ છે. તેના માટે જરૂરી છેકે પહેલા માણસને સમજવામાં આવે. વેદાંતમાં કહેવામાં આવ્યું છે કે મનુષ્ય ત્રણ દશાઓમાં રહે છે. એક જાગૃત અવસ્થામાં, બીજી અવસ્થા સપના જોવાની છે અને ત્રીજી અવસ્થા તે હોય છે જ્યારે મનુષ્ય સૂવે છે. તે વખતે મનુષ્ય મૃત વ્યક્તિની જેમ હોય છે. રાજ્યસભાના સાંસદ સુભાષ ચંદ્રાએ કહ્યું કે આજે કોઈ પણ રાજનેતા ભલે ગમે તે પક્ષના હોય એવું કહી શકે નહીં કે આ બંધારણ આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓ જેવું ઈચ્છતા હતા એવું નથી. 


ગાંધીજીએ ગામોની મજબૂતી માટે કર્યું કામ
હૈદરાબાદ IIITના સેમિનારમાં સુભાષ ચંદ્રાએ જણાવ્યું હતું કે, ગાંધીજીએ ગામોની મજબૂતી પર કામ કર્યું.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube