નવી દિલ્હીઃ ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામી (Subrahmanyam Swamy)એ શુક્રવારે દાવો કર્યો કે મુંબઈમાં વર્ષ 2008માં થયેલા 26/11 હુમલાની પાછળ યૂપીએ અને પાકિસ્તાન (Pakistan) હતું. સ્વામીએ કહ્યું કે, તેમાં કોંગ્રેસના ચાર ટોપ નેતા સામેલ હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શુક્રવારે સ્વામીએ ટ્વીટ કર્યું, હવે પ્રથમ નજરમાં પૂરતા મજબૂત પૂરાવા છે જેના દ્વારા એક કેસને બનાવવા માટે તપાસ આયોગ બનાવી શકાય છે કે 26/11નો મુંબઈ આતંકી હુમલો યૂપીએ અને પાકિસ્તાનની સેનાનું સંયુક્ત પગલું હતું, જેનો ઈરાદો હિન્દુત્વને ઠેસ પહોંચાડવાનો હતો. ચાર ટોચના કોંગ્રેસી નેતા સામેલ છે, તેથી આરોપી છે. મનકહરામી!


મહત્વનું છે કે વર્ષ 2008મા 26 નવેમ્બરે લશ્કર-એ-તૈયબાના 10 આતંકીઓ દ્વારા કરવામાં આવેલા હુમલામાં 174 લોકોના મોત થયા હતા. હુમલામાં સામેલ 9 આતંકીઓને ઠાર કરવામાં આવ્યા હતા, જ્યારે એક અજમલ કસાબને બાદમાં ફાંસી આપવામાં આવી હતી.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....