Money Line on Palm: તમે લોકોને ઘણીવાર કહેતા સાંભળ્યા હશે કે માણસ પોતાનું ભાગ્ય પોતાના હાથમાં લઇને આવે છે. આપણા બધાની હાથની રેખાઓ એકબીજાથી અલગ હોય છે. એટલા માટે જ દરેકના જીવનમાં સુખ અને દુખની પણ એકબીજાથી અલગ હોય છે. કોઇ કામ ન કરીને પણ રાજા જેવી જીંદગી જીવે છે તો કોઇ દિવસ રાત મહેનત કર્યા બાદ પણ બે ટંક પેટભરીને ભોજન મેળવી શકતું નથી. આવો જાણીએ કે કઇ રીતે ભાગ્ય રેખાઓ જીવનમાં સુખ અને પૈસાની ભરમાર કરી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજાની માફક જીવે છે આવા લોકો
સમુદ્ર શાસ્ત્રના અનુસાર હાથમાં ભાગ્ય રેખાની શરૂઆત મણિબંધ હોય છે. આ ઉર્ધ્વ રેખા જે જીવન રેખાની અંદરથી અથવા હાથના મધ્યથી પણ શરૂઆત થાય છે. જો ભાગ્ય રેખાની શરૂઆતમાં શંખ અથવા માછલીનું ચિહ્ન છે તો વ્યક્તિ ખૂબ ધનવાન હોય છે અને તેનું જીવન રાજાઓ જેવું હોય છે. 

Vastu Tips For Money: સાચી દિશામાં રાખેલું ધન બનાવી શકે છે માલામાલ, આ છે કરોડપતિ બનવાની સરળ રીત!


આવા લોકોનું જીવન હોય છે સફળ 
સફળ વ્યક્તિઓ વિશે એવું કહેવામાં આવે છે કે તેમની ભાગ્ય રેખા અનામિકા આંગળી સુધી હોય છે. જેમની ભાગ્ય રેખા સૂર્ય ક્ષેત્ર એટલે કે અનામિકા આંગલી સુધી જતી રહે છે. તે કલા અને વેપારમાં નામ અને પૈસા બંને કમાઇ છે. જો આ ભાગ્ય રેખા બુધ સુધી એટલે કે નાની આંગળ સુધી હોય તો વ્યક્તિ પોતાની બુદ્ધિના બળ પર વેપારમાં સફળતાના શિખરને આંબે છે. ભીડ વચ્ચે પણ આ વ્યક્તિઓની ઓળખ હોય છે. 

Lucky Girls: આવી આંગળીઓવાળી છોકરીઓ હોય છે એકદઅમ લકી, ચમકાવી દેશે પતિનું ભાગ્ય!


ઘડપણમાં પડે છે મુશ્કેલી
આવા વ્યક્તિ એકદમ ભાગ્યશાળી હોય છે જેની ભાગ્ય રેખા શનિ ક્ષેત્ર એટલે કે મધ્ય સુધી હોય છે. ભાગ્ય રેખાના અંતિમ છેડે જાળ જેવી સંરચના હોવી સારા સંકેત હોય ગણવામાં આવે છે. એવું હેવામાં આવે છે કે એવા લોકોને ઘડપણમાં આર્થિક તંગી રહે છે. 

Vastu Tips: કેળાના ઝાડની પૂજા કરવાથી ધાર્યા કામ પાર પડશે, આર્થિક તંગી ક્યારેય નહી સર્જાય


જવાનીમાં કમાયેલું, ઘડપણમાં ગુમાવ્યું
જો કોઇ વ્યક્તિની ભાગ્ય રેખા શનિ ક્ષેત્ર અથવા મધ્યમા આંગળીથી થઇને ગુરૂ ક્ષેત્ર એટલે કે તર્જની આંગળી સુધી જાય છે તો એવા વ્યક્તિ પોતાની જવાનીમાં એટલા પૈસા કમાઇ લે છે કે ઘડપણ સુધી તેનો અંત આવતો નથી. તેની સાથે જ તેની પાસે જીવનભર પૈસા આવતા રહે છે. 


(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. ZEE NEWS તેની પુષ્ટિ કરતું નથી.)