સાસારામ: સામ પિત્રોડાની ટિપ્પણી 'થયું તે થયું'ને લઈને કોંગ્રસ પર સતત પ્રહાર કરી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કહ્યું કે સંબંધિત ટિપ્પણી પાર્ટીના અહંકારનું પ્રતિક છે અને તેના દ્વારા તેઓ તેમના શાસનકાળ દરમિયાન થયેલા ખરાબ કાર્યો પર ઢાંકપિછોડો કરી રહી છે. મોદીએ સાસારામ ખાતે એક ચૂંટણી રેલીમાં કહ્યું કે નામદાર (રાહુલ ગાંધી)ના ગુરુ (સામ પિત્રોડા) દ્વારા ટીવીના કેમેરાઓ સામે બોલાયેલા ત્રણ શબ્દો (થયું તે થયું) તેમની મનોવૃત્તિ દર્શાવે છે. જ્યારે પણ ભ્રષ્ટાચાર અને કૌભાંડોને લઈને તેમના પ્રશાસન પર આંગળી ઉઠી, તેમણે આવું કહીને તેના પર ઢાંકપિછોડો કર્યો કે થયું તે થયું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેમણે કહ્યું કે દેશ હવે કંટાળી ગયો છે અને કહી રહ્યો છે કે 'હવે બહુ થયું'. મોદીએ ભીડને 'ફરી એકવાર મોદી સરકાર'ના નારા લગાવવા માટે પ્રોત્સાહિત કરતા કહ્યું કે લોકો કોંગ્રેસની વંશવાદની રાજનીતિ , તેમના ભ્રષ્ટાચાર અને અહંકારથી કંટાળી ગયા છે. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...