નવી દિલ્હી: સીબીઆઈ રિમાન્ડ કેસમાં ચિદમ્બરમને સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યા છે કે તેઓ નીચલી કોર્ટમાં પોતાની જામીન અરજી આપે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે કોર્ટ આજે જ આ અરજી પર ચુકાદો આપે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે જો નીચલી કોર્ટમાંથી ચિદમ્બરમને જામીન ન મળે તો તેઓ વધુ ત્રણ દિવસ CBIની કસ્ટડીમાં રહેશે. જેનો અર્થ એ છે કે 5 તારીખ સુધી ચિદમ્બરમ તિહાડ જેલ મોકલવામાં આવશે નહીં. અત્રે જણાવવાનું કે 5 સપ્ટેમ્બરના રોજ ED કેસમાં સુપ્રીમ કોર્ટ આગોતરા જામીન અરજી પર ચુકાદો આપવાની છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ અગાઉ શુક્રવારે એક કોર્ટે આઈએનએક્સ મીડિયા કેસમાં પૂર્વ નાણા મંત્રી પી.ચિદમ્બરમની સીબીઆઈ કસ્ટડી સોમવાર સુધી વધારી હતી. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...