નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે શિંદે જૂથને મોટી રાહત અયોગ્ય ઠેરવતી નોટિસ પર જવાબ આપવા માટે 11 જુલાઈ સાંજે 5.30 કલાક સુધીનો સમય આપ્યો છે. તો ડેપ્યુટી સ્પીકરે ધારાસભ્યોને માત્ર આજ સુધીનો સમય આપ્યો હતો. આ રીતે શિંદે જૂથના ધારાસભ્યોને અયોગ્ય ઠેરવવા પર હાલ પૂરતો પ્રતિબંધ લાગી ગયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ધારાસભ્યોની સુરક્ષા પર સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર સરકારને આપ્યો આદેશ
એકનાથ શિંદેની અરજી પર સુપ્રીમ કોર્ટે ડેપ્યુટી સ્પીકર સહિત મહારાષ્ટ્ર વિધાનસભાના સચિવ, કેન્દ્ર અને અન્યને નોટિસ જારી કરી છે. ડેપ્યુટી સ્પીકર નરહરિ જિરવાલને એકનાથ શિંદે તથા અન્ય 15 ધારાસભ્યોને અયોગ્ય ઠેરવવાની નોટિસ આપી હતી. ધારાસભ્યો તરફથી જીવના જોખમની ધમકીના આરોપો પર સુપ્રીમ કોર્ટે કહ્યું કે મહારાષ્ટ્ર સરકાર ધારાસભ્યોની સુરક્ષાની ખાતરી કરે અને તેવા પગલાં ભરે કે તેની સંપત્તિને પણ નુકસાન ન પહોંચે. 


સુપ્રીમ કોર્ટે શિંદેની અરજી પર ડેપ્યુટી સ્પીકરને ફટકારી નોટિસ, વધુ સુનાવણી 11 જુલાઈએ


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube